જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની પડતી મુશ્કેલીઓને લઈ દ્ગઝ્રઁ નેતા રેશ્મા પટેલ આમરણાંત ઉપવાસ શરૂ કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી હતી. અટકાયત કરાતા રેશ્મા પટેલે કહ્યું હતું કે,’વિજયભાઈ રૂપાણી જ્યાં સુધી ગુજરાતનું ભલું નહીં કરો ત્યાં સુધી મારા ઉપવાસ ચાલુ રહેશે’. રેશ્મા પટેલે પોલીસ સ્ટેશનમાં પણ પોતાના આમરણાંત ઉપવાસ ચાલુ રાખવાની ચીમકી આપી હતી.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને પડતી મુશ્કેલીઓ સામે એનસીપી નેતા રેશ્મા પટેલે દેખાવ સાથે ધરણા કરવાની ગઈકાલે ચીમકી આપી હતી. જે મુજબ આજે તેઓ ધરણાં કરે તે પહેલા જ રેશ્મા પટેલની બે કાર્યકરો સાથે પોલીસે અટકાયત કરી લીધી હતી. કોરોના મહામારી સામે ગુજરાત સરકાર નિષફળ ગયાનો રેશ્મા પટેલે આક્ષેપ કર્યો હતો.
જૂનાગઢની સિવિલ હોસ્પિટલ તેમજ જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓ માટે સુવિધા વધારવામાં ન આવતા ૧૦ મેથી એનસીપી મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્મા પટેલે સિવિલ સામે આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી આપી હતી.
આ તકે રેશ્મા પટેલએ જણાવેલ કે, દસ દિવસ અગાઉ રાજ્ય સરકારને પત્ર પાઠવી જૂનાગઢ સિવિલ ઉપરાંત જિલ્લાના પીએચસી, સીએચસી તેમજ કોવિડ કેર સેન્ટરમાં કોરોના દર્દી માટે યોગ્ય સારવારની સુવિધા ઉભી ઉપલબ્ધ કરાવવા માંગણી કરી હતી. જે સંતોષાયેલ ન હોવાથી આજથી ધરણા પર બેસવાની ગઈકાલે જાહેરાત કરી હતી.
જે મુજબ ૧૧ વાગ્યા આસપાસ રેશ્મા પટેલ ધરણા કરવા માટે સિવિલ હોસ્પિટલે પહોંચેલ ત્યારે દેખાવ કરવા બેસે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની બે કાર્યકરો સાથે અટકાયત કરી લીધી હતી. આ તકે રેશ્મા પટેલએ કોરોના સામે રાજ્ય સરકાર સદંતર નિષફળ ગયાનો આક્ષેપ કર્યો હતો.
Recent Comments