અમરેલી

જો સાવરકુંડલા શહેરમાં આવેલ ગણેશ વાડી વિસ્તારમાં આ સદગૃહસ્થ ની કાર્યનિષ્ઠાને સલામ..બસ સ્વચ્છતા એ જ પ્રભુતાને લક્ષમાં રાખીને પોતાનાં ઘર આંગણાં આસપાસ વિસ્તારોમાં પણ સફાઈ કરતાં જોવા મળ્યા

બસ કાર્યનિષ્ઠાનીં નોંધ લઈને હવે કાર્ય કરે તે જ માણે, આ સ્વચ્છતા અને પ્રભુતાના ગુણને સૌ પીછાણે.     આમ તો દિવાળીનાં દિવસો ખૂબ નજીક આવી રહ્યો છે.. સ્વચ્છતા એ જ પ્રભુતાનો સંદેશ પણ આ દિવાળીનું પર્વ આપી જતું હોય તેમ લાગે છે. આમ તો આપણાં સમગ્ર દેશમાં સ્વચ્છતા માટે મોટું કેમ્પેઇન ચલાવવામાં આવેલ.. આપણાં પ્રધાનમંત્રીએ પણ વારંવાર મિશન સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવા માટે જાહેર અપીલ પણ કરેલી. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ સ્વચ્છતાનાં આગ્રહી હતાં.. આમ પણ આ સ્વાતંત્ર્યની વેળાએ ઘણી રાજકીય સાફસૂફી પણ થઈ હશે.. સામાજિક સૌહાર્દ અને વિશ્ર્વ બંધુત્વ માટે પણ મન, તન, ઘર આંગણ અને આપણાં આસપાસનાં વિસ્તારોની સ્વચ્છતા કરવી અને શક્ય હોય તો આ સ્વચ્છતા મિશનને માત્ર ફોટો સેશનથી આગળ લઈ જવી. વળી આ સરદાર પટેલ જયંતિ અને આપણાં લોખંડી મહિલા પ્રધાન મંત્રી તરીકે જેની ગણના થાય છે તેવાં સ્વ ઇન્દિરા ગાંધીની પૂણ્ય તિથિ પણ છે.. આમ આવાં પવિત્ર દિવસે ચાલો એક પ્રણ લઈએ કે આપણે આપણાં શેરી મહોલ્લાને સંપૂર્ણ સ્વચ્છ રાખીશું.    આ વાત આજે સાવરકુંડલા શહેરની ગણેશ વાડી વિસ્તારમાં એક સદ્ગૃહસ્થ પોતાના આંગણાં ઉપરાંત પોતાના આસપાસનાં વિસ્તારોને પૂરી નિષ્ઠા અને ખંતથી સ્વેચ્છાએ બસ આ મારો વિસ્તાર છે અને તેને સ્વચ્છ રાખવો એ મારું પરમ કર્તવ્ય છે કદાચ એમ સમજીને જ આ મહાનુભાવ સ્વચ્છતા મિશનને આગળ ધપાવી રહ્યા છે. મને તો આ પણ એક પવિત્ર રાષ્ટ્ર ધર્મ જ લાગે છે. જો આવી રીતે આપણાં મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ અને ઇંદિરા ગાંધીનાં આદરશોને ચરિતાર્થ થાય ખરું. ખાલી ફોટો સેશન કરવાથી શહેર સ્વચ્છ ન બને જરૂર છે સહિયારા પ્રયાસોની અને જો તમામ વિસ્તારોમાં આ પ્રકારની શેરી સફાઈ પોતાનું સમજી કરવામાં આવે તો સાવરકુંડલા શહેર સ્વિત્ઝર્લેન્ડ જેવું રળિયામણું બની શકે. ખાલી નારાં લગાવવાથી કદીપણ કોઈ ફલશ્રુતિ મળતી નથી જરૂર છે સ્વેચ્છાએ સ્વચ્છતા મિશનનું અમલીકરણ કરવાનું.. અને તે સંભવ છે એક નાનકડો સદ્વિચાર – દીપક પેટાવવાનો છે.. આ બાબત આપણે સિંગાપોર પાસેથી પણ શીખવા જેવી ખરી.. આવાં સદ્ગૃહસ્થો જે કશી પણ પ્રસિધ્ધિની અપેક્ષા વગર પોતાનું કર્તવ્ય બજાવે છે તેની આ કર્તવ્ય ધર્મને શત શત નમન.   અંતમાં એટલું આપણે જે ઈચ્છીએ એ સઘળું શક્ય છે પરંતુ જરૂર છે કાર્યનિષ્ઠાનીં..

Related Posts