તાજેતરમાં અમરેલી જિલ્લામાં કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હાલ લઘુતમ ટેકાના ભાવે ચણા અને ઘઉંની ખરીદી ચાલુ હોવાથી આ ખરીદીની કામગીરી કરનારા અધિકારી, કર્મચારી, ગ્રેડર, ઓપરેટર, લેબર અને ડ્રાઈવર પણ કોરોનાથી સંક્રમિત થયેલા છે. આ સંક્રમણ અટકાવવા તેમજ ખરીદ કેન્દ્રો ખાતેથી દૂરથી આવતા નાગરિકોમાં સંક્રમણનો ફેલાવો ન થાય તે હેતુથી અને જાહેર આરોગ્યની જાળવણીના હેતુસર જિલ્લાના તમામ એપીએમસી ખરીદ કેન્દ્રો ખાતે લઘુતમ ટેકાના ભાવે ચણા અને ઘઉંની ખરીદીની કામગીરી આવતી ૩૦ એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરિસ્થિતિ સામાન્ય થાય ત્યારે લઘુતમ ટેકાના ભાવે ખરીદી ફરીથી શરૂ કરવામાં આવશે.
ટેકાના ભાવે ચણા અને ઘઉંની ખરીદી આવતી ૩૦ એપ્રિલ સુધી બંધ

Recent Comments