કે. વિશ્વનાથનો જન્મ ૧૯ ફેબ્રુઆરી ૧૯૩૦ના રોજ આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાનાં રેપલ્લેમાં થયો હતો. કે. વિશ્વનાથે કલા તપસ્વીના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમણે હિન્દૂ કોલેજ ગુંટૂરમાંથી ઇન્ટરમીડિયેટ કર્યું હતું. આ પછી તેણે આંધ્ર યુનિવર્સિટીમાંથી સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિશ્વનાથે કરિયરની શરૂઆત વૌહિની સ્ટુડિયો, ચેન્નઈમાં સાઉન્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. કે. વિશ્વનાથે ૧૯૫૧માં તેલુગુ ફિલ્મ ‘પાતાલ ભૈરવી’માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. આ બાદ તેમણે ૧૯૬૫માં ફિલ્મ ‘આત્મા ગૌરવમ્’નું દિગ્દર્શન કર્યું હતું. જેમના માટે રાજ્ય નંદી પુરસ્કાર પણ મળ્યો હતો. તેમની સૌથી મોટી ફિલ્મોમાં ‘શંકરાભરણમ’, ‘સ્વાતિનુથ્યમ’, ‘સાગર સંગમમ’ અને ‘સ્વયંકૃષ્ણ’નો સમાવેશ થાય છે.
વિશ્વનાથે છેલ્લી ફિલ્મ ‘સુભાપ્રધામ’ વર્ષ ૨૦૧૦માં ડિરેક્ટ કરી હતી. ૭૧ વર્ષની કરિયરમાં તેમણે ૫૫ ફીચર ફિલ્મોમાં દિગ્દર્શક તરીકે અને ૪૩ ફિલ્મમાં એક્ટર તરીકે કામ કર્યું હતું. કે.વિશ્વનાથ ફિલ્મકાર બનતા પહેલાં એક્ટર પણ રહી ચૂક્યા હતા, જેમાં તેલુગુ, તમિલ અને કન્નડમાં ફિલ્મમાં કામ કર્યું છે. તેમને ૨૦૧૬માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને ૧૯૯૨માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમણે પોતાની કારકિર્દીમાં ૧૦ ફિલ્મફેર એવોર્ડ, પાંચ નેશનલ એવોર્ડ અને પાંચ નંદી એવોર્ડ જીત્યા હતા.ટોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્દેશક અને એક્ટર કે. વિશ્વનાથે ૯૩ વર્ષની વયે ગુરુવારે રાતે અંતિમ શ્વાસ લીધા હતા.
કે. વિશ્વનાથ લાંબી માંદગીના કારણે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના મૃતદેહને હોસ્પિટલમાંથી લગભગ ૧ વાગ્યે જ્યુબિલી હિલ્સ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ફિલ્મ નિર્માતા કાસીનાધુની વિશ્વનાથ ‘કલતપસ્વી’ના નામથી પણ જાણીતા હતા. તેમને માત્ર તેલુગુ સિનેમામાં જ નહીં પરંતુ તમિલ અને કેટલીક હિન્દી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું હતું. વિશ્વનાથના નિધનના સમાચારથી ફિલ્મ જગત સહિત તેમના ફેન્સમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અનિલ કપૂરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કે.વિશ્વનાથજી તમે મને ઘણું શીખવ્યું છે, ઈશ્વરના સમયે તમારી સાથે સેટ પર હોવું એ મંદિરમાં હોવા બરાબર હતું. અનિલ કપૂરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કે.વિશ્વનાથજી તમે મને ઘણું શીખવ્યું છે, ઈશ્વરના સમયે તમારી સાથે સેટ પર હોવું એ મંદિરમાં હોવા બરાબર હતું. સિંગર એ. આર. રહેમાને જણાવ્યું હતું કે, તમારી ફિલ્મોએ મારું બાળપણ માનવતા અને અજાયબીથી ભરી દીધું હતું.
તેમાં પરંપરાગત સંગીત અને નૃત્ય અદ્ભુત હતું. વિશ્વનાથે દેશની બહાર તેલુગુ સિનેમાને ખ્યાતિ અપાવી છે. તેમણે ‘શંકરાભરણમ્’ અને ‘સાગર સંગમ’ જેવી ઉત્તમ ફિલ્મો બનાવી છે. તેમના અવસાનથી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. એક્ટર જુનિયર દ્ગ્ઇએ કહ્યું હતું કે, કે. વિશ્વનાથે દેશની બહાર તેલુગુ સિનેમાને ખ્યાતિ અપાવી છે. તેમણે ‘શંકરાભરણમ્’ અને ‘સાગર સંગમ’ જેવી ઉત્તમ ફિલ્મો બનાવી છે. તેમના અવસાનથી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે.
Recent Comments