સર્વોદય કેળવણી મંડળ, જેસરની બ.ગો. મહેતા વિદ્યાલય દ્વારા નવરાત્રી મહોત્સવની સાથે લોકશાહીના અનોખા અવસર એવાં ચૂંટણીમાં મતદાર જાગૃતિ અંગે પણ જાગૃતતા ફેલાવવામાં આવી હતી.
નવરાત્રીના તહેવારની ઉજવણી સાથે લોક કેળવણી પણ થાય તેવાં ઉદ્દેશથી આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેવાં હેતુ સાથે વિવિધ તહેવાર, પ્રસંગોની ઉજવણી સાથે લોકોમાં પણ લોકશાહીમાં આસ્થા દ્રઢ થાય અને લોકોની ચૂંટણીમાં સહભાગીતા વધે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
Recent Comments