બિહારની પૂર્ણિયા સીટ પર ભારે હંગામો થયો હતો, જ્યાં પપ્પુ યાદવ પૂર્ણિયાથી ચૂંટણી લડવા માટે મક્કમ હતા. જ્યારે લાલુ યાદવે આ ટિકિટ આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ)ની બીમા ભારતીને આપી હતી. પરંતુ હવે પપ્પુ યાદવ ઉર્ફે રાજેશ રંજનના કાર્યાલયે માહિતી આપી છે કે પૂર્ણિયાથી માત્ર પપ્પુ યાદવ જ લોકસભાની ચૂંટણી લડશે. પપ્પુ યાદવ ૨ એપ્રિલે સવારે ૧૦ વાગે ઉમેદવારી નોંધાવશે. પપ્પુ યાદવે તાજેતરમાં જ લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા છે. જેના કારણે બીમા ભારતીને ટિકિટ મળ્યા બાદ પપ્પુ યાદવ સતત કહેતા જાેવા મળ્યા હતા કે મને કોંગ્રેસમાં વિશ્વાસ છે, જાેકે તેમણે કહ્યું હતું કે મેં અંતિમ ર્નિણય કોંગ્રેસ નેતૃત્વ પર છોડ્યો છે.
પપ્પુ યાદવની ઓફિસે માહિતી આપી હતી કે તે પૂર્ણિયા સીટ પરથી ચૂંટણી લડશે. તેમણે જાહેર જનતાને નોમિનેશન દરમિયાન વધુમાં વધુ સંખ્યામાં આવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે પૂર્ણિયા લોકસભા મતવિસ્તારના રહેવાસીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પૂર્ણિયાને અદ્યતન અને સમૃદ્ધ પૂર્ણિયા બનાવવા માટે નામાંકન કાર્યક્રમ દરમિયાન તેમના પુત્ર પપ્પુ યાદવને આશીર્વાદ આપે. તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયેલા બિહારના દિગ્ગજ નેતા પપ્પુ યાદવને પૂર્ણિયાથી ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જેના કારણે તેમણે કહ્યું હતું કે તેઓ લાલુજીને વિચાર કરવા વિનંતી કરે છે, પૂર્ણિયા સીટ છોડવી તેમના માટે આત્મહત્યા સમાન છે.
પપ્પુ યાદવે પૂર્ણિયા બેઠકને લાગણી અને જીદ ગણાવી હતી. તેઓ સતત આગ્રહ કરી રહ્યા હતા કે તેમને બિહારની પૂર્ણિયા બેઠક પરથી જ ટિકિટ આપવામાં આવે. પરંતુ ટિકિટ કપાયા બાદ તેમણે કોંગ્રેસને વિચારવા કહ્યું હતું. જેને કોંગ્રેસે સ્વીકારીને આ સીટ પરથી પપ્પુ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. બિહારની આ બેઠક મહાગઠબંધન હેઠળ આરજેડીને ફાળવવામાં આવી હતી, જેના કારણે આરજેડીએ બીમા ભારતીને મેદાનમાં ઉતાર્યા હતા. જે બાદ આ સીટ મેળવવા માટે પપ્પુ યાદવ પણ લાલુ યાદવને મળ્યા હતા. પપ્પુ યાદવે કહ્યું કે લાલુ યાદવે મને મધેપુરાથી લડવાનું કહ્યું હતું. જેના પર પપ્પુ યાદવે કહ્યું કે પૂર્ણિયા છોડવું એ આત્મહત્યા સમાન છે. જાેકે પપ્પુ યાદવે અંતિમ ર્નિણય કોંગ્રેસ નેતૃત્વ પર છોડી દીધો હતો, જે હવે તેમની તરફેણમાં આવ્યો છે.















Recent Comments