રાષ્ટ્રીય

પીએલઆઈ યોજના હેઠળ ટેલિકોમ ઉપકરણોનું ઉત્પાદન વેચાણ ૫૦,૦૦૦ કરોડ રુપિયાના સીમાચિહ્નને પાર કરી ગયું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં ભારતને ‘આર્ત્મનિભર’ બનાવવાનાં વિઝન સાથે સુસંગત થઈને ટેલિકોમ અને નેટર્વકિંગ ઉત્પાદનો માટે ઉત્પાદન તથા ઇલેક્ટ્રોનિક્સનાં મોટા પાયે ઇલેક્ટ્રોનિક ઉત્પાદન સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઈ) યોજનાને કારણે દેશમાં ઉત્પાદન, રોજગારીનું સર્જન, આર્થિક વૃદ્ધિ અને નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે.

ટેલિકોમ પીએલઆઈ યોજનાના ત્રણ વર્ષની અંદર આ યોજનાએ ૩૪૦૦ કરોડ રુપિયાનું રોકાણ આકષ્ર્યું છે, ટેલિકોમ ઉપકરણોનું ઉત્પાદન ૫૦,૦૦૦ કરોડ રુપિયાના સીમાચિહ્નને પાર કરી ગયું છે અને કુલ ૧૦,૫૦૦ કરોડ રુપિયાની નિકાસ થઈ છે, જેણે ૧૭,૮૦૦થી વધુ પ્રત્યક્ષ રોજગારીનું સર્જન કર્યું છે અને ઘણી વધુ આડકતરી રોજગારીનું સર્જન કર્યું છે. આ સિમાચિહ્ન ભારતના ટેલિકોમ ઉત્પાદન ઉદ્યોગની મજબૂત વૃદ્ધિ અને સ્પર્ધાત્મકતાને રેખાંકિત કરે છે, જે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આયાત પરની ર્નિભરતા ઘટાડવા માટે સરકારની પહેલોથી પ્રેરિત છે. પીએલઆઈ યોજનાનો હેતુ સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓમાં વધારો કરવાનો અને ભારતને ટેલિકોમ ઉપકરણોના ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો છે. આ યોજના ઉત્પાદકોને ભારતમાં ઉત્પાદિત ઉત્પાદનોના વધારાના વેચાણના આધારે નાણાકીય પ્રોત્સાહનો પણ પ્રદાન કરે છે.

ઇલેક્ટ્રોનિક્સના મોટા પાયે ઇલેક્ટ્રોનિક ઉત્પાદન માટેની ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહક યોજનામાં મોબાઇલ ફોન અને તેના ઘટકોના ઉત્પાદનને આવરી લેવામાં આવ્યું છે. આ પીએલઆઈ યોજનાના પરિણામે ભારતમાંથી મોબાઈલ ફોનના ઉત્પાદન અને નિકાસ બંનેમાં ઘણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ભારત મોબાઇલ ફોનનો મોટો આયાતકાર દેશ હતો, જ્યારે દેશમાં માત્ર ૫.૮ કરોડ યુનિટનું ઉત્પાદન થયું હતું, જ્યારે ૨૧ કરોડ યુનિટની આયાત કરવામાં આવી હતી, જ્યારે વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતમાં ૩૩ કરોડ યુનિટનું ઉત્પાદન થયું હતું અને માત્ર ૦.૩ કરોડ યુનિટની આયાત કરવામાં આવી હતી અને લગભગ ૫ કરોડ યુનિટની નિકાસ કરવામાં આવી હતી. મોબાઇલ ફોનની નિકાસનું મૂલ્ય ૨૦૧૪-૧૫માં ૧,૫૫૬ કરોડ રૂપિયા અને ૨૦૧૭-૧૮માં માત્ર ૧,૩૬૭ કરોડ રૂપિયાથી વધીને ૨૦૨૩-૨૪માં ૧,૨૮,૯૮૨ કરોડ રૂપિયા થઈ ગયું છે. વર્ષ ૨૦૧૪-૧૫માં મોબાઇલ ફોનની આયાતની કિંમત ૪૮,૬૦૯ કરોડ રૂપિયા હતી અને ૨૦૨૩-૨૪માં તે ઘટીને માત્ર ૭,૬૬૫ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ભારત ઘણા વર્ષોથી ટેલિકોમ ઉપકરણોની આયાત કરે છે, પરંતુ મેક-ઇન-ઇન્ડિયા અને પીએલઆઇ યોજનાને કારણે સંતુલન બદલાયું છે, જેના કારણે દેશમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતના ઉપકરણોનું ઉત્પાદન થયું છે.
કી હાઈલાઈટ્‌સ ટેલિકોમ (મોબાઈલ સિવાય)ઃ
• ઉદ્યોગ વૃદ્ધિઃ ટેલિકોમ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરે અસાધારણ વૃદ્ધિ દર્શાવી છે, જેમાં પીએલઆઇ કંપનીઓ દ્વારા કુલ વેચાણ રૂ. ૫૦,૦૦૦ કરોડથી વધુ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં પીએલઆઈ લાભાર્થી કંપનીઓ દ્વારા ટેલિકોમ એન્ડ નેટર્વકિંગ પ્રોડક્ટ્‌સનું વેચાણ બેઝ યર (નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦)ની સરખામણીમાં ૩૭૦ ટકા વધ્યું છે.
• રોજગારીનું સર્જનઃ આ પહેલે માત્ર આર્થિક વૃદ્ધિમાં જ યોગદાન નથી આપ્યું, પરંતુ ઉત્પાદનથી માંડીને સંશોધન અને વિકાસ સુધી, ૧૭,૮૦૦થી વધારે પ્રત્યક્ષ રોજગારીનું સર્જન અને અન્ય ઘણી પરોક્ષ રોજગારીનું સર્જન કરીને મૂલ્ય શ્રુંખલામાં રોજગારીની નોંધપાત્ર તકોનું સર્જન પણ કર્યું છે.
• આયાત પરની ર્નિભરતામાં ઘટાડોઃ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાને કારણે પીએલઆઈ યોજનાએ આયાતી ટેલિકોમ ઉપકરણો પર દેશની ર્નિભરતામાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે, જેના પરિણામે આયાત અવેજીમાં ૬૦ ટકાનો ઘટાડો થયો છે અને ભારત એન્ટેના, જીપીએન (ગીગાબાઇટ પેસિવ ઓપ્ટિકલ નેટવર્ક) અને સીપીઇ (ગ્રાહક પરિસર ઉપકરણ)માં લગભગ આર્ત્મનિભર બની ગયું છે. આ રીતે આયાત પરની ર્નિભરતામાં ઘટાડો થવાથી રાષ્ટ્રીય સુરક્ષામાં વધારો થયો છે અને આર્ત્મનિભરતાને પ્રોત્સાહન મળ્યું છે.
• વૈશ્વિક સ્પર્ધાત્મકતાઃ ભારતીય ઉત્પાદકો વૈશ્વિક સ્તરે વધુને વધુ પ્રતિસ્પર્ધા કરી રહ્યાં છે અને સ્પર્ધાત્મક કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ઓફર કરે છે.
ટેલિકોમ ઉપકરણોમાં રેડિયો, રાઉટર્સ અને નેટવર્ક ઉપકરણો જેવી જટિલ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપનીઓને સરકાર દ્વારા ૫જી ઉપકરણોના ઉત્પાદન માટે લાભ મેળવવાની મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં ઉત્પાદિત ૫જી ટેલિકોમ ઉપકરણો હાલમાં ઉત્તર અમેરિકા અને યુરોપમાં નિકાસ કરવામાં આવી રહ્યા છે.
ટેલિકોમ અને નેટર્વકિંગ પ્રોડક્ટ્‌સ માટેની પીએલઆઈ યોજના અને ડીઓટી અને એમઈઆઈટીવાય બંને દ્વારા સંચાલિત અન્ય સંબંધિત પહેલના પરિણામે ટેલિકોમ આયાત અને નિકાસ વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે ઘટ્યું છે, કારણ કે ચીજવસ્તુઓનું કુલ મૂલ્ય (ટેલિકોમ ઉપકરણો અને મોબાઇલ બંનેને એકસાથે મૂકવામાં આવે તો) નિકાસ કરવામાં આવે તો તે ૧.૪૯ લાખ કરોડ રુપિયાથી વધુ છે, જ્યારે નાણાકીય વર્ષ ૨૩-૨૪માં ૧.૫૩ લાખ કરોડ રુપિયાથી વધુની આયાત થઈ હતી.
હકીકતમાં, છેલ્લાં પાંચ વર્ષમાં ટેલિકોમ (ટેલિકોમ ઉપકરણો અને મોબાઇલ બંનેમાં મળીને) વેપાર ખાધ ૬૮,૦૦૦ કરોડ રુપિયાથી ઘટીને ૪,૦૦૦ કરોડ રુપિયા થઈ છે અને બંને પીએલઆઈ યોજનાઓએ ભારતીય ઉત્પાદકોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા, મુખ્ય ક્ષમતા અને અત્યાધુનિક ટેકનોલોજીનાં ક્ષેત્રોમાં રોકાણને આર્કષિત કરવા, કાર્યક્ષમતા ખાતરી કરવા, સ્કેલની અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવા, નિકાસમાં વધારો કરવા અને ભારતને વૈશ્વિક મૂલ્ય સાંકળનો અભિન્ન ભાગ બનાવવાની શરૂઆત કરી છે. તેણે ભારતની નિકાસ બાસ્કેટને પરંપરાગત કોમોડિટીઝમાંથી ઊંચા મૂલ્યવધિર્ત ઉત્પાદનોમાં પરિવતિર્ત કરી છે.

Related Posts