અમરેલી

પ્રજાપિતા બહ્માકુમારી ઇશ્રવરીય વિશ્ર્વ વિદ્યાલય-ચલાલા દ્વારા મહાશિવરાત્રિ ના “દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન” નું ભવ્ય આયોજન..

તારીખ ૮-૩-૨૪ના મહા શિવરાત્રિના પાવન પવિત્ર નિમીતે બહ્માકુમારીઝ દ્વારા..”દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શનનુ ભવ્ય અને દિવ્ય આયોજન અંબાધામ મંદિર સ્ટેશન રોડ ચલાલા ખાતે કરવામા આવેલ છે. સાંજે સાત  કલાકે શિવભગવાનની સામુહીક ભવ્ય આરતી કરવામા આવશે. આ પાવન પર્વના આયોજનને સફળ બનાવવા બહ્માકુમારીઝ ના પુજ્ય ક્રિષ્નાદિદિ, રાધિકાદિદિ,અનિતાદિદિ, સહીતના બહેનો અને ગોવિંદભાઈ પાનસુરીયા, રાજુભાઇ કાથરોટીયા, વિનુભાઇ તળાવીયા સહિતના ભાઇઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે..ચલાલાની ધર્મપ્રેમી જનતાને પવિત્ર મહાશિવરાત્રિ  પર્વ ના દિનના શિવભગવાનના દિવ્ય દર્શન અને મહાઆરતીનો લાભ લેવા બહ્માકુમારીઝના બહેનો દ્વારા જાહેર નિંમત્રણ પાઠવવા મા આવેલ છે..તેમજ તારીખ ૯ થી ૧૫ માર્ચ ૨૦૨૪ રાત્રે ૮:૩૦ થી ૧૦ અંબાધામ મંદિર ખાતે રાજયોગ શિબિરનુ આયોજન કરવામા આવેલ છે. આ રાજયોગ શિબિરનો લાભ લઈ જીવનને ધન્ય બનાવવા અનુરોધ કરવામા આવેલ છે તેમ પ્રકાશ કારીયાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું

Related Posts