ભાવનગર

ભાવનગર ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભા ની ૨૧૭૫ મી બેઠક તા ૬/૨/૨૨ ના રોજ યોજાઈ

ભાવનગર શિશુ વિહાર ખાતે ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભા ની ૨૧૭૫ મી બેઠક તા ૬/૨/૨૨ ના રોજ યોજાઈ.કાવ્ય આસ્વાદ અંતર્ગત  કવિશ્રી પ્રવીણભાઈ સરવૈયા દ્વારા  કવયિત્રી “પારુલ ખખ્ખર” ના કાવ્ય માં કવિના શબ્દો દ્વારા કોરોનાના કહેર સમયે લાખો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા અને પીડિત પ્રજા નો પોકાર બીજીબાજુ રાજકારણ પ્રત્યેનો પ્રજા નો આક્રોશ દરેક શેર છાના સંવાદ, રહસ્ય ને બખૂબી, મૂક વિચાર, ચિંતનો નો રસાસ્વાદ થયો.સંચાલન શ્રી જીજ્ઞાબેન ત્રિવેદી નું રહ્યું હતું.બુધસભાના  કવિશ્રી હિમલ પંડ્યા કવિશ્રી જયેશભાઇ ત્રિવેદી,ડૉ.નટુભાઈ પંડ્યા,શ્રી પ્રહલાદભાઈમહેતા, શ્રી જયશ્રીબા ગોહિલ, કવિશ્રી ભરત વાળા, શ્રી અંજના ગૌસ્વામી, શ્રી હર્ષાબેન ચૌહાણ, શ્રી અજય ઓઝા, શ્રી નીલ જોષી, શ્રી કૃપાબેન ઓઝા શ્રી પૂર્વી ભટ્ટ, શ્રી લાલજીભાઈ બામભણીયા સહિત વગેરે કવિ વડીલો, મિત્રો દ્વારા l કાવ્ય પઠન થયું હતું. આજની બુધસભા  કાવ્યરસ,વિશેષપૂર્ણ પ્રેરક રહી હતી.

Related Posts