અમરેલી

મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફીનું વચન તો ગુજરાતના ખેડૂતોને દેવા માફી કેમ નહીં?- તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી


તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને ભાજપ પક્ષે તેમના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોના મત મેળવવા માટે ખેડૂતોના દેવા માફીનું વચન આપેલું છે, જો ભાજપ પક્ષ મહારાષ્ટ્રના ખેડૂતોને દેવા માફીનું વચન આપી શકતી હોય, તો ગુજરાત રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હોય અને ભાજપના શાસનમાં ગુજરાતનો ખેડૂત દેવાદાર બની ગયો હોય, તો ગુજરાતના ખેડૂતોના દેવા માફ શા માટે ગુજરાતની ભાજપ સરકાર કરતી નથી? માત્રને માત્ર ગુજરાતના ખેડૂતોને મૂર્ખ બનાવવાનું કામ ગુજરાતની ભાજપ સરકાર છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કરી રહી છે, ચાલુ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિના મારથી ગુજરાતના ખેડૂતોનો સમગ્ર પાક પાયમાલ થયો છે, ત્યારે ખેડૂતોના મોંઢામા આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, આમ જ્યારે કુદરતી આપત્તિ આવી હોય ત્યારે સરકારે ખેડૂતના હમદર્દ થઈને પડખે ઊભા રહેવાના બદલે સહાય પેકેજના નામે ખેડૂતોની ક્રૂર મશ્કરી કરવાનો કામ ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે, જ્યારે ખેડૂતોનો ચોમાસુ પાક સદંતર નિષ્ફળ ગયો છે

ત્યારે આ આપદામાંથી બહાર નીકળવા માટે ખેડૂતો શિયાળુ પાક માટેના વાવેતરની તૈયારી કરી રહ્યા છે જેના માટે પાયાનું ખાતર DAP કે ઇફ્કોનુ ૧૨:૩૨:૧૬ સહકારી મંડળીઓમાં કે સહકારી તાલુકા જીલ્લા સંઘમાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોને મળતું નથી અને જો અનાયાસે કોઈક મંડળી કે સંઘમાં ખાતર હાજરમાં મળી જાય તો તે ખાતરની બે બેગ સાથે એક બોટલ નેનોની ફરજિયાત ખેડૂતને આપવામાં આવે છે, આમ ખેડૂતોને એન-કેન પ્રકારે મારવાનું કામ ગુજરાતમાં ભાજપના શાસકો કરી રહ્યા છે, અમરેલી જિલ્લામાં ધારાસભ્યો, સંસદ સભ્ય, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, આ બધુ જ ભાજપનું હોવા છતાં અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિથી નુકસાનના સહાય પેકેજમાં બાકાત રાખવામાં આવ્યો છે, જે ભાજપની નબળી નેતાગીરી પુરવાર કરે છે. જો ખરેખર ભાજપના શાસકો ખેડૂતોનું હિત ઈચ્છતા હોય, તો મહારાષ્ટ્રમાં ચૂંટણીના અનુસંધાને ખેડૂતોના દેવા માફી આપવા માટેનું વચન ભાજપ પક્ષ તેમના ચૂંટણી ઢંઢેરામાં આપે છે, તો ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં ગુજરાતના ખેડૂતના દેવા શા માટે માફ કરવામાં આવતા નથી? તેઓ વેધક સવાલ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કર્યો છે.

Related Posts