ગુજરાતમાં ગુલાબી ઠંડીની શરુઆત થઇ ગઇ છે. જાે કે બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. ઠંડી-ગરમીના મિશ્ર વાતાવરણમાં ગુજરાતમાં રોગચાળો વકરી રહ્યો છે. રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાનો કેર જાેવા મળી રહ્યો છે. ત્યારે મનપાએ ઉગતા જ રોગચાળાને ડામવાની કવાયત શરૂ કરી છે.રાજકોટમાં એરપોર્ટ રોડ પર આવેલા અમરજીતનગર સોસાયટીમાં ફોગિંગ કરવામાં આવ્યુ હતુ. રાજકોટમાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. ચાલુ વર્ષે ડેન્ગ્યૂના કુલ ૧૭૧ અને ચિકનગુનિયાના ૬૭ કેસ નોંધાયા છે. ત્યારે મનપાએ પણ મચ્છરના લારવા અને પોરા શોધવાની કામગીરી શરૂ કરી છે.
રાજકોટમાં ફુલ ગુલાબી ઠંડીમાં મચ્છરજન્ય રોગચાળાનો કાળોકેરમનપાએ પણ મચ્છરના લારવા અને પોરા શોધવાની કામગીરી શરૂ કરી, ફોગીંગ પણ કરાયું

Recent Comments