ભારતમાં નેતા ઓ, અધિકારીઓ અથવા કોઈ શખ્સની સુરક્ષાને ખતરો જાેતા તેને સરકાર અને પોલીસ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ખતરાને જાેઈને જ ઢ , ઢ, રૂ અથવા ઠ કેટેગરીની સુરક્ષા આપવાનો ર્નિણય લેવામાં આવે છે. આ પ્રકારની સુરક્ષા મેળવનારા મોટા ભાગના લોકો કેન્દ્ર સરકારના મંત્રી, રાજ્યોના મુખ્યમંત્રી, સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટના ન્યાયાધીશી, જાણીતા રાજનેતા અને કેટલાક સીનિયર બ્યૂરોક્રેટ્સ હોય છે. ભારતમાં હાલમાં ૪૫૦ લોકોથી વધુને આ પ્રકારની સુરક્ષા મળે છે. તેમાંથી ૧૫ને ઢ કેટેગરીની સુરક્ષા મળે છે.ગૃહ મંત્રાલય તરફથી મંજૂરી મળ્યા બાદ તેમની પસંદગી થોડા દિવસો પહેલા કરવામાં આવી છે. સીઆરપીએફ દ્વારા મહિલા કર્મચારીઓની સંખ્યા વધારવા માટે એક એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો છે.
કેટલાક મહાનુભાવોને પ્રથમ બેચમાંથી મહિલા કર્મચારીઓ મળશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. વળી, આવનારી ચૂંટણીની સીઝનને ધ્યાનમાં રાખીને મહિલા વીવીઆઈપી ને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. આ મહિલાના જવાનોને છદ્ભ-૪૭ જેવી એસોલ્ટ રાઇફલ્સ ચલાવવાની તાલીમ પણ મળશે. સૂત્રોએ દાવો કર્યો હતો કે પશ્ચિમ બંગાળની ચૂંટણી ઓ દરમિયાન હિંસા જાેયા બાદ, “ઉત્તરપ્રદેશની ચૂંટણીઓ પહેલા વીવીઆઇપીની સુરક્ષા માટે મહિલાઓને સામેલ કરવાનું કામ પ્રાથમિકતા આપવામાં આવ્યું હતું.
” પશ્ચિમ બંગાળની ચૂંટણી દરમિયાન, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત કેટલાક નેતાઓ પર તેમની રેલીઓ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. મહાનુભાવો પર આવા હુમલાની આશંકા ચૂંટણી માં રહે છે અને પાંચ રાજ્યોમાં આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ચૂંટણી થવાની છે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, સીઆરપીએફ પાસેથી એક યોજના માંગવામાં આવી હતી જે હાલમાં દેશના સૌથી વધુ સંખ્યામાં મહાનુભાવોને સુરક્ષા આપે છે.
સીઆરપીએફના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યુંઃ “ગૃહ મંત્રાલય તરફથી મંજૂરી મળ્યા બાદ, આ મહિલા કર્મચારીઓને સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તે તબક્કાવાર રીતે કરવામાં આવશે. પસંદ કરેલી મહિલાઓને પૂરતી તાલીમ મળશે. ” સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ કુલદીપ સિંહે તાજેતરની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહને પ્રસ્તાવ આપ્યો હતો જ્યારે તેઓ સીઆરપીએફની વિગતો અને તાત્કાલિક ભવિષ્યની યોજનાઓ રજૂ કરી રહ્યા હતા. યોગ્ય મંજૂરી મળ્યા પછી, વીવીઆઈપીની સુરક્ષા માટે મહિલાઓને સામેલ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
Recent Comments