દરેક વ્યક્તિના જીવનમાં કેટલીક મૂળભૂત ઈચ્છાઓ હોય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે કામ, દામ, નામ, સન્માન અને કમાન બધું જ હોય. જેની પાસે આ તમામ ઉપલબિધઓ હોય તે વ્યક્તિ સફળ બને છે. સફળતાનો અર્થ ડિગ્રી મેળવવી, નોકરી મળવી, પૈસા કમાવવા જેટલો જ નથી. દરેક વ્યક્તિ આપણી જેમ જ સફળતા માટે પરિશ્રમ કરતી હોય છે. પરંતુ સફળતા અમુક જ લોકોને મળતી હોય છે. જેઓ સફળ થતાં હોય છે તેમની પાસે સ્પષ્ટ દ્રષ્ટિકોણ હોય છે. તેઓ અંધારામાં તીર ચલાવતા નથી. જયાં દરવાજામાંથી પહોંચી શકાય તેમ હોય ત્યાં દીવાલમાં માથું ફોડવું એ પરિશ્રમ નહીં પણ મૂર્ખતા છે. કાર્ય ઉત્સાહથી અને મનથી કરો ઃ સફળતાના રસ્તા પર વ્યક્તિની ગાડી ત્યાં સુધી જ ચાલી શકે જયાં સુધી તેમાં ઉત્સાહ..અને કંઈક કરવાની અદમ્ય ઈચ્છાનું ઈધણ હોય. સમર્પણ અને ઈચ્છાથી ઉત્સાહ ઉત્પન્ન થાય છે. તમારું ધ્યેય કેટલું દ્રઢ છે તેની પર તમારી સફળતાનો આધાર રહેલો છે.
સમયની સાથે કામ કરો ઃ- સમયનું મહત્વ દર્શાવતી અનેક કહેવતો મળશે. પરંતુ સમય તો પોતાની ગતિએ જ ચાલે છે. જેઓ સમયની સાથે ચાલે છે તેના માટે સમય સારો છે. બાકીના માટે ખરાબ છે. જયાં સુધી સમયનું મેનેજમેન્ટ નહીં થાય ત્યાં સુધી સમય અને કાર્ય વયરોની ભેદરેખા દેખાશે જ.
કામને ટાળો નહીંઃ
જેનાથી આપણે પરિચિત હોઈએ છીએ તેનાથી જાગૃત હોઈએ છીએ. કાર્યક્ષેત્ર કે નિયંત્રણ ક્ષેત્ર ત્યારે જ વ્યાપક બને, જયારે વ્યક્તિનો દ્રષ્ટિકોણ વ્યાપક હોય. તે માટે વ્યક્તિએ આંખ કાન ખુલ્લાં રાખીને, હૃદયને વિશાળ રાખીને બધું જ ગ્રહણ કરવાની નીતિ બનાવીને ચાલવું પડે છે.
સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવો ઃ- દરેક વ્યક્તિમાં કેટલીક ઉણપ હોય છે તો કેટલીક ક્ષમતા. જયારે જે બાબત પર કામ કરવાનું હોય ત્યારે તે દિશામાં ચેસની ચાલની જેમ સમજી વિચારીને પગલાં ભરવા જોઈએ. જીવન કોઈ ખેલ નથી માટે સફળતાની સીડી પર ચઢતાં પહેલાં સીડી કેટલી મજબૂત છે તેની ચકાસણી અચૂક કરવી જોઈએ.
હારની સંભાવનાને પૂર્ણ કરો ઃ- સફળતાનો અર્થ એ છે,કે અસફળતા ઉત્પન્ન કરનારી તમામ બાબતોને ઓળખી તેને મૂળથી જ સમાસ કરી દેવી. આ એ તત્વો છે જે લક્ષ્યથી ધ્યાન વિચલિત કરી શકે છે. નુકસાનની સંભાવના જયાં સમાસ થાય છે ત્યાં જ નફાની શરૂઆત થાય છે.
કાર્યથી દિલ જીતો, શબ્દોથી નહિ – .વ્યક્તિનું આચરણ તેનું કર્મ જ તેની ઓળખ છે. જો આપણે અન્યના હદયમાંસ્થાયી સ્થાન ઇચ્છતા હોઈએ તો તેનો આધાર ઈમાનદારીથી ભરપૂર કર્મ જ હોઈ શકે છે. શબ્દોથી પોતાનાપણું બતાવવું એ રેતીમાં લીટી દોરવા બરાબર છે. જેને આવતી જતી સાગરની લહેરો બનાવે છે અને મિટાવી દે છે. જયારે કર્મ પાષાણ પર ઉપસાવેલી આકૃતિ સમાન છે જેને કોઈ ભૂંસી શકતું નથી.
ઈમાનદારી તથા ઉદારતાને ઓળખ બનાવોઃ- પણ સામાજિક ગતિવિધિ જનસહયોગ વિના અપૂર્ણ છે. જયારે કોઈને તમારી ઈમાનદારી પર ભરોસો બેસશે. ત્યારે જ તે તમારી સાથે રહેશે. બેઈમાની, ભય, ઉપેક્ષાના આધારે સહયોગની બિલ્ડીંગ બનાવી શકાતી નથી.
ખુશ રહો, અન્યને પણ ખુશ રાખો – આ સૂત્રમાં જેટલું નૈતિક અનેતેટલું જ વૈજ્ઞાનિક માનવીય મૂલ્ય છે. જયારે વ્યક્તિ પોતાની ક્ષમતાઓનો વધુમાં વધુ ઉપયોગ કરે છે ત્યારે પોતાનું શ્રેષ્ઠ આપી શકે છે. ક્ષમતાઓનો મહત્તમ ઉપયોગ ત્યારે જ થઈ શકે જયારે વ્યક્તિ શાંત (તણાવરહિત) વાતાવરણમાં કાર્ય કરી શકે. એટલે કે જયાં ખુશી હોય ત્યાં તણાવ હોઈ જ ન શકે.
અન્યની નકલ કયારેય ન કરશો – જેઓ પોતાનો માર્ગ જાતે જ શોધે છે અને તે માર્ગ પર લોકોને ચલાવે છે. ઈતિહાસ પણ આવા જ નેતૃત્વને યાદ રાખે છે. સતત પ્રયાસ, અવલોકન અને અભ્યાસથી જ સફળતા પ્રાસ થાય છે. સફળતા મેળવવામાં કુશળતા, સંકલ્પ અને શ્રમની જરૂર હોય છે. તેનાથી અનેક ગણો વધારે શ્રમ, સંકલ્પ તથા કુશળતા તેને બનાવી રાખવામાં ભાગ ભજવે છે.
Recent Comments