અમરેલી

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે તા. ૧-૧-૨૪ સોમવારે નૂતન વર્ષના પ્રારંભ

સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે તા. ૧-૧-૨૪ સોમવારે નૂતન વર્ષના પ્રારંભે ભુવા ગામમાં આવેલ ભીમનાથ મહાદેવ મંદિરે સ્વ. નાનજીભાઈ કેશવભાઈ હીરાણીના સ્મરણાર્થે રૂપિયા ૨૨૦૦૦ ના ખર્ચે શિવલિંગનું થાળું અર્પણ કરાયુંં. સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે તા ૧-૧-૨૪ને સોમવારે નૂતન વર્ષના પ્રારંભે  ભુવા ગામમાં આવેલ શ્રી ભીમનાથ મહાદેવના મંદિરે સ્વ. નાનજીભાઈ કેશવભાઈ હીરાણીના સ્મરણાર્થે હ. પ્રફુલભાઈ નાનજીભાઈ હીરાણી દ્વારા રૂપિયા ૨૨૦૦૦  બાવીસ હજારના ખર્ચે શિવલિંગનું થાળું અર્પણ  કરવામાં આવ્યું હતું. આમ પણ શિવનામ જ  હમેશાં સૌને માટે કલ્યાણકારી છે.. ભોળાનાથને ભજીએ એટલે જીવન સાર્થક.. ભુવાના ગ્રામજનો શિક્ષણપ્રેમી અને ધર્મપ્રેમી હોય ગામના જાહેર સ્થાનના વિકાસ અને માવજત માટે ખૂબ ઉત્સુક જોવા મળે છે.

Related Posts