અમરેલી

સાવરકુંડલા તાલુકાના વંડા અને શેલણા ગામ વચ્ચે થયેલો  કાર અકસ્માત જીવલેણ નીવડ્યો.

સાવરકુંડલા તાલુકાના વિજ્યાંનગર ગામના વતની એવા  પૂર્વ કૃષિ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વલ્લભભાઈ વિરજીભાઈ વઘાસિયા(વી.વી.વઘાસીયા) ઉ.વ. ૬૮નું તેમના વતન સાવરકુંડલા તાલુકામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે.બનાવની મળતી વિગત મુજબ વિ.વિ.વઘાસિયા ઠવી ગામ પાસે આવેલી પોતાની વાડીએથી ગઈકાલે રાત્રે આઠેક વાગ્યે પરત પોતાના ગામ વિજ્યાંનગર પોતાની વેગન આર કારમાં આવી રહ્યા હતા ત્યારે શેલણા થી વંડા વચ્ચે ગુંદરડી હનુમાનજી મંદિર પાસે સામેથી આવી રહેલ જેસીબીની સૂંઢ સાથે પોતાની વેગન આર કાર અથડાઈ જતા તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી જોગાનું જોગ વંડા પોલીસ મથકના મહિલા પી.એસ.આઈ .એચ.એચ. સેગલીયા પેટ્રોલિંગમાં હોય ત્યાંથી પસાર થતા તેમણે ગંભીર અકસ્માત જોતા તાત્કાલિક 108 ને જાણ કરેલ અને ગંભીર ઇજાગ્રસ્ત વી.વી.વઘાસિયા અને તેમની સાથે રહેલા તેમના સંબંધિ અશોકભાઈ રામજીભાઈ નારોલાને સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.

પરંતુ માથામાં ગંભીર ઇજા થઈ હોય અને પુષ્કળ પ્રમાણમાં લોહી વહી ગયું હોય કબનસીબે હોસ્પિટલે પહોંચે તે પહેલાં જ 108 માં જ વી.વી .વઘાસીયાનું મૃત્યુ થયું હતું જ્યારે તેમની સાથે રહેલા અશોકભાઈને નાક અને છાતીમાં ઇજા થઈ હોય વધુ સારવાર માટે સાવરકુંડલાથી અમરેલી રિફર કરવામાં આવ્યા હતા વી.વી.ના અકસ્મિક મુત્યુની જાણ થતા અમરેલીથી નાયક દંડક કૌશિકભાઈ વેકરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત, જિલ્લા પંચાયતનાં પુર્વ ચેરમેન કમલેશ કાનાણી, પાલિકાનાં ઉપ પ્રમુખ જયસુખભાઇ નાકરાણી શહેર ભાજપ પ્રમુખ પ્રવિણ સાવજ,મહા મંત્રી રાજુ નાગ્રેચા સહિત ભાજપના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો હોસ્પિટલે દોડી આવ્યા હતા.બનાવની જાણ થતા ડી.વાય.એસ.પી. વોરા પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મદદરૂપ બન્યા હતા .જેસીબી ચાલક અકસ્માત બાદ નાસી ગયો હતો વંડા પોલીસે ધોરણસર કાર્યવાહી ધરી છે.

સ્વર્ગસ્થ વિ.વિ.વઘાસિયા સાવરકુંડલા તાલુકાના વિજ્યાનગરના વતની હતા અને તેમના જાહેર જીવનની શરૂઆત વિજ્યાનગર ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખપદેથી કરી હતી બાદ રાજકીય ક્ષેત્રે પ્રવેશી ભાજપના તાલુકા, જિલ્લાનાં સંગઠનમાં પોતાની સેવા આપી હતી. બાદ તાલુકા પંચાયતના સદસ્યથી રાજકીય સફર શરૂ કરી રાજ્યના કૃષિ અને ગૃહ નિર્માણ મંત્રી સુધીની જવાબદારી  સંભાળી હતી.વી.વી. વઘાસીયા તાલુકા પંચાયતથી માંડી ધારાસભા સુધીની એક પણ ચૂંટણીમાં હાર્યા ન હતા. વી.વી. વઘાસિયા પ્રદેશ ભાજપ સંગઠનમાં સારી એવી પકડ ધરાવતા હોય  તેમની નીચે ઘણા યુવા નેતાઓને રાજકીય ક્ષેત્રે પ્રોત્સાહિત કરી યુવા કેડર તૈયાર કરી હતી અને જિલ્લાના  તેમજ પ્રદેશના રાજકારણમાં સાવરકુંડલા તાલુકાનું મહત્વ વધાર્યું હતું વિ.વિ.ના  આકસ્મિક મૃત્યુંનાં સમાચાર મળતા રાત્રે શહેરમાંથી મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો સાથે શહેરીજનો અને પત્રકારો પણ હોસ્પિટલે દોડીગયા હતા. હોસ્પિટલ નું વાતાવરણ શોકમય બની ગયું હતું. સ્વર્ગસ્થ વિ.વિ.ના પરિવારજનોએ વિ.વિ. ચક્ષુનું દાન કર્યું હતું. રાત્રે હોસ્પિટલમાં પી.એમ. કરી સવારે તેમના વતન વિજ્યાનગર ખાતે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી જેમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

Related Posts