શ્રીમતી વી. ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં કારકિર્દી માર્ગદર્શન અંગેનો સેમિનાર નૂતન કેળવણી મંડળ સંચાલિત, શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં કારકિર્દી વિષયક માર્ગદર્શન આપતો સેમિનાર યોજાયો જેમાં શ્રી વિશાલભાઈ ગોહિલ તથા શ્રી અરમાનભાઈ ધંધુકિયાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઓછા સમયમાં વધુ સારી તૈયારી કઈ રીતે કરી શકાય તે વિષયનું સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું. મહેમાનોનું સ્વાગત પ્રા.છાયાબેન શાહે કર્યું તથા આભાર દર્શન પ્રા. ડો. પ્રતિમાબેન શુકલે કર્યું. કાર્યક્રમના આયોજનમાં કોલેજના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ડી.એલ ચાવડા સાહેબે સહયોગ આપ્યો .કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ સ્ટાફનો સહકાર મળ્યો.
સાવરકુંડલા શહેરમાં આવેલ વી. ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં કારકિર્દી વિષયક માર્ગદર્શન પ્રદાન કરતો સેમિનાર યોજાયો

Recent Comments