અમરેલી

જનવિશ્વાસ, સેવા અને સમર્પણના ૨૪ વર્ષ, અમરેલી શહેરની મધ્યમાં શોભાયમાન થતા રાજમહેલનું નવીનીકરણ – ૬૫ ટકા કામગીરી પૂર્ણ

ગુજરાતની વિકાસ યાત્રામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૪ વર્ષ પૂર્ણ થયા છેવડાપ્રધાનશ્રીએ આગવા વિઝન સાથે વિકાસની જોડે વિરાસતના જતનની નવી પરિપાટી કંડારી છે.

વડાપ્રધાનશ્રીની “વિકાસ ભીવિરાસત ભી” નેમને ગુજરાત સરકારે અનુસરીને ગૌરવરૂપ વિરાસતના સ્થળોના વિકાસ માટે નવા આયામો શરૂ કર્યા છે. અમરેલી શહેરના મધ્યમાં શોભાયમાન રાજમહેલનું અંદાજે રૂ.૨૫ કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધર્યું છે. જેનું ૬૫ ટકા જેટલું કામ પણ પૂર્ણ થઈ ગયું છે.

 આ ઐતિહાસિક રાજમહેલનું  કામ પૂર્ણ થયા બાદતેની કાયમી જાળવણી થઈ શકે તે માટે હેરિટેજ હોટલ અને સંગ્રહાલય તરીકે વિકસાવાનું પણ ગુજરાત પ્રવાસન નિગમનું આયોજન છે. જેથી અમરેલી તથા દેશ વિદેશના પ્રવાસીઓને ભવ્ય વારસાની ઝાંખી કરાવતું મનમોહક નજરાણું મળી રહેશે.

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રીનોવેશન એન્ડ રીડેવલપમેન્ટ ઓફ પેલેસ (રાજમહેલ) અમરેલી પ્રોજેક્ટ હેઠળ ઇમારતના અંદરના ભાગ તથા બહારના ભાગમાં ડ્રાય-ક્લિનિંગછતના વોટર-પ્રૂફિંગચુનાના પથ્થરના ઉપયોગથી હયાત ઇમારતના મજબૂતીકરણઝીકી પ્લાસ્ટરની મદદથી હયાત ઇમારતના રીપેરીંગઇમારતને રાત્રી સુશોભન માટે લાઈટીંગની કામગીરીનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટમાં રાજ મહેલને હેરિટેજ હોટલમાં તબદીલ કરવાની કામગીરીની સાથે લાકડાની છતપાર્કિંગની સુવિધા અને ગાર્ડન એરિયા પણ વિકસાવવામાં આવશે.

આ ઐતિહાસિક રાજમહેલના પુનઃસ્થાપનની કામગીરીમાં રોકાયેલા શ્રી સૌવિક ઘોષ જણાવે છે કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની સાથે વિરાસતને જોડી છેતેમણે વિરાસતને પ્રેરણાસ્ત્રોતરૂપ ગણીતેમાં પ્રવાસન વિકાસનો નવો આયામ જોડ્યો છે. હાલમાં આ રાજમહેલના પુનઃસ્થાપનની ૬૫ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છેઆ નવીનીકરણની કામગીરીમાં ખાસ રાજમહેલની જે દાયકાઓ પહેલા જાહોજલાલી હતી તે જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તા.૨૦ સપ્ટેમ્બર૨૦૨૪ના રોજ રાજમહેલના પુનઃ નિર્માણના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું.

૧૮૯૨માં નિર્મિત આ રાજમહેલમાં એક સમયે લોક દરબાર ભરાતો હતોઆઝાદી બાદ જિલ્લા સેવાસદન એટલે કે કલેક્ટર કચેરી અહીંયા કાર્યરત રહી હતી. રાજમહેલનાં પ્રાંગણમાં મહારાજા સયાજીરાવની કાંસ્‍ય પ્રતિમા ૫ણ જોવા મળે છે. આમગાયકવાડી શાસનનો પુરાવો આપતો આ રાજમહેલ ફરી તેનો નવો વૈભવ પામવા જઈ રહ્યો છે.

Related Posts