ભાવનગર

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૫૩ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૫૩ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી સંસ્થા આયોજિત ૫૧૦ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ સ્વ. તારાબેન વડોદરિયાની સ્મૃતિમાં શ્રી  સુનિલભાઈ વડોદરિયાની ઉપસ્થિતિમાં તથા ૫૧૧ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ સ્વ.  હીરાબા ની સ્મૃતિમાં શ્રીજનુભાઈ,હરેશભાઈ તથા નાનકભાઈ ની ઉપસ્થિતિ માં તારીખ ૨૩ મે ના રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં દર્દીઓની આ તપાસ ડોક્ટર શ્રી ચંદ્રકાંતાબેન મૌર્યની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામને પરિસરમાં ડો.મીનાક્ષીબેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાતમંદ ૧૦ દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના નવ સહાયકોને ખાસ બસમાં વીરનગર લઈ જવામાં આવ્યા..

 દર્દી દેવો ભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરો એ સેવા આપી હતી

Related Posts