ચેક બાઉન્સ થવાના મામલા ઘણા વધી ગયા છે. જેને લઈને સુપ્રીમ કોર્ટે કડક વલણ દેખાડ્યુ છે. દ્ગીર્ખ્તંૈટ્ઠહ્વઙ્મી ૈંહજંિેદ્બીહંજ છષ્ઠં, ૧૮૮૧ હેઠળ ચેક બાઉન્સના કેસમાં ક્રિમિનલ ઓફેંસ માનવામાં આવ્યુ છે. હવે કોર્ટ ઇચ્છે છે કે આવા કેસોનો વહેલી તકે સમાધાન થાય. સુપ્રીમ કોર્ટે અદાલતોમાં પેન્ડીંગ ૩૫ લાખથી વધુ કેસને ‘વિચિત્ર’ પરિસ્થિતિ ગણાવી અને કેન્દ્ર સરકારને સૂચન કર્યું કે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ચોક્કસ સમયગાળા માટે વધારાની અદાલતોની સ્થાપના માટે કાયદો ઘડવો. ચીફ જસ્ટિસ એસ.એ.બોવડેની અધ્યક્ષતાવાળી પાંચ જજની બેંચે કહ્યું કે બંધારણની કલમ ૨૪૭ હેઠળ કેન્દ્ર સરકારને ચેક બાઉન્સના મામલાઓને સોંપવાની સત્તા આપવામાં આવી છે અને તે તેની ફરજ પણ બને છે.
બંધારણની આર્ટિકલ ૨૪૭ સંસદને સશક્ત બનાવે છે કે તે તેના દ્વારા બનાવેલા કાયદાના વધુ વહીવટ માટે કેટલીક વધારાની અદાલતોની સ્થાપના કરી શકે. તે સંઘની સૂચિથી સંબંધિત હાલના કાયદાઓના કિસ્સામાં પણ આ પ્રકારનું પગલું લઈ શકે છે. ખંડપીઠમાં ન્યાયાધીશ એલ નાગેશ્વરા રાવ, બી.આર. ગવઈ, એ.એસ. બોપન્ના અને એસ.રવિન્દ્ર ભટ પણ શામેલ છે. ખંડપીઠે કહ્યુ કે, કાયદાના વિકૃતિને લીધે, તેના અંતર્ગત પેન્ડિંગ કેસની સંખ્યા વધી રહી છે. આવા કેસો સાથે કામ કરવા માટે, તમે નિયત સમયગાળા માટે વધારાની અદાલતોની સ્થાપના કરી શકો છો. ” સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, કેન્દ્ર આ પ્રકારની બાબતોથી છૂટકારો મેળવવા માટે એક સેવાનિવૃતિ ન્યાયાઘીશ અથવા કેસોના કોઈ વિશેષજ્ઞની પણ નિમણૂક કરી શકે છે.
ખંડપીઠે કેન્દ્ર વતી આ મામલે હાજર સોલિસીટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે કાયદા હેઠળ બાકી રહેલા કેસો સમગ્ર ન્યાયિક પ્રણાલીમાં બાકી રહેલા કેસોમાં ૩૦ ટકા થઈ ગયા છે. જ્યારે આ કાયદો ઘડ્યો હતો, ત્યારે તેની ન્યાયિક અસરનું આકારણ નહોતું. સર્વોચ્ચ અદાલત મુજબ, કાયદાની રચના કરતી વખતે આ પ્રકારનું આકારણી થવું જાેઈએ. તેમણે કહ્યું કે જ્યારે કાયદો ઘડવામાં આવ્યો હતો, જાે તેની અસરનું આકારણી કરવામાં ન આવે તો તે હવે થઈ શકે છે. આ માટે કેન્દ્ર બંધારણમાં આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરી શકે છે.આ સંદર્ભમાં, ખંડપીઠે દારૂના કાયદાના પ્રતિબંધ બાદ બિહારમાં બાકી રહેલા હજારો જામીન કેસનો પણ ઉલ્લેખ કર્યો છે. મહેતાએ જણાવ્યું હતું કે, સરકાર કોઈપણ નવા આઇડિયા પર સકારાત્મક રહે છે, તેમ છતાં આ મુદ્દે વધુ ચર્ચા કરવાની જરૂર છે.
Recent Comments