ભાવનગર શિશુવિહાર માં ૧૯૮૦ થી અખંડ અવિરત ચાલતી સાહિત્ય સભા, બુધસભા આજે તા. ૨૪/૩/૨૧ ના રોજ ૨૧૧૬ મી બેઠક મળી, કવિ વિજયભાઈ રાજ્યગુરુ ના સંચાલનમાં આ માસ ના કવિ સન્માન અંતર્ગત મનીષાબેન સોલંકીનું સન્માન થયું. તેમની રચના, નું પઠન થયુ. મહેશ્વરી બેન મહેતા, મનીષા બેન સોંલકી, સુનિલભાઈ પરમાર, જગત ભાઈ ભટ્ટ, હિમલભાઈ પંડ્યા, નેહાબેન પુરોહિત, દાનભાઈ વાઘેલા, સુનિલભાઈ પરમાર, ઇસ્માઇલભાઈ કુરેશી, અન્સારી ભાઈ, નટુભાઈ પંડ્યા, વગેરે કવિઓ દ્રારા કૃતિ નું પઠન થયું. ૩૩ કવિ મહાનુભાવો ની હાજરી રહી હતી. ૨૧ રચનાની પ્રસ્તુતિ સાથે બુધસભાએ વિરામ લીધો હતો. શિશુવિહાર બુધસભા માં ઉપક્રમો ની શ્રુંખલામાં તા. ૨૦૩/૨૧ ના રોજ બુધસભા ના કવિઓની ગઝલો, ગીત નૉ સુગમ સંગીત ગઝલોત્સવ –૨ દિવંગત કવિશ્રી મન્સૂરભાઈ કુરેશી ની દિવ્યચેતના ને શબ્દસહ વંદન સમર્પિત આ કાર્યક્રમ માં શિશુવિહાર સંસ્થા ના મંત્રી ડો. નાનકભાઈ ભટ્ટ તથા જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ના મનહરભાઈ રાઠોડ, પૂર્વ મેયર રીનાબેન શાહ, મહેશભાઈ વાજા, પરેશભાઈ ચૌહાણ પ્રમુખ વાળંદ જ્ઞાતિ, તેમજ શહેર ના અગ્રણીયો ની ઉપસ્થિતિ માં સમારોહ યોજાયો. તારીખ ૧૭/૧/૨૧ નાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં શ્રીમાનભાઈ ભટ્ટ નાગરિક સન્માન વર્ષ -૩૦ નો વડીલ વંદના સન્માન સમારોહ વિશ્વવંદનીય પૂ. મોરારીબાપુ નાં અધ્યક્ષ સ્થાને થી યોજાઈ ગયો.આમ અવિરત ઉપક્રમો સાથે શિશુવિહાર સંસ્થા લોક ડાઉન જેવા માહોલ માં પણ સાહિત્યિક રસ પ્રચુર રહી છૅ. તે ગૌરવલેવા જેવી વાત છૅ. સૌ કવિઓ ના સંકલ્પબળ અને સ્વવિકાસ ને પ્રગટકરવાનું બળઆપેએ બુધસભા . આમ શિશુવિહાર માં બહેનોની સીવણતાલીમ, બાલમંદિર અંતર્ગત જાગૃતવાલી, બાલ શિક્ષણ તાલીમ, સ્કાઉટ તાલીમ નેત્રયજ્ઞ, પુસ્તકાલય આવી અનેકો અનેક પ્રવૃત્તિ શિશુવિહાર સંસ્થા ના મંત્રી ડૉ. નાનકભાઈ ભટ્ટ ના કુશળ શાસનથી સમગ્ર પ્રવૃત્તિઓ ચાલીરહીછૅ. આપસૌ નો સહકાર આભાર, નમસ્કાર
ભાવનગર શિશુવિહારમાં અવિરત ૧૯૮૦ થી ચાલતી ૨૧૧૬ મી બુધસભા મળી, મૃદુ હદયનો મેળાવડો

Recent Comments