ગુજરાત

હજુ એક અઠવાડિયું કોરોના કેસ વધશે, તે પછી ઘટવા માંડશેઃ રૂપાણી

વિધાનસભા સત્ર ટૂંકાવાશે નહીં, ૮ જેટલા વિધેયક પસાર કરીને નિયત કરેલા સમયે સત્ર પૂર્ણ થશે

રાજ્યની હોસ્પિટલોના ૭૦ ટકા બેડ ખાલી, તમામ સરકારી કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકે વેકસીન અપાશે

ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર સરકારનુ ધ્યાન કેન્દ્રીત, લોકો માસ્ક પહેરે અને રસી માટે આગળ આવે, રોજ ૩ લાખ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતાં ચાર મહાનગરોમાં નાઈટ કરફ્યૂ સહિતના પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. તેવામાં હાલમાં વિધાનસભા સત્રમાં ધારાસભ્યો અને તેમના સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમ છતાં સીએમ રૂપાણીએ કહ્યું છે કે વિધાનસભાનું સત્ર ટૂંકાવવામાં આવશે નહીં. કેમ કે હજુ મહત્વના બિલો પાસ થવાના બાકી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે આ અઠવાડિયું કેસ વધશે અને પછી ઘટશે તેવી ધારણા છે. પણ ગભરાવાની જરૂર નથી, સાવધાની જરૂરી છે. માસ્ક પહેરવા અને રસી લેવા મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને અપીલ કરી છે. અને તેઓએ કહ્યું કે દૈનિક ૩ લાખ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક છે.

વિધાનસભા ગૃહમાં છ ધારાસભ્યો અને તેમના સ્ટાફ કોરોના પોઝિટિવ આવ્યો છે. આજે આ મામલે સીએમ રૂપાણીને સવાલ કરાયો તો તેમણે કહ્યું કે, વિધાનસભાનું સત્ર ટૂંકાવવામાં નહીં આવે, મહત્વના બિલો પાસ થવાના બાકી છે. સંક્રમણ વધારે છે પણ મૃત્યુઆંક કંટ્રોલમાં છે. ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મુકવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ દેશભરમાં વધી રહી છે. કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી.
તમામ સરકારી કર્મચારીઓને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ગણી વેક્સીન અપાશે. હાલ ૪ મહાનગરોમાં કેસ વધારે છે, તેથી સરકાર અહી ફોકસ કરી રહી છે. સચિવાલય અને આખા ગુજરાતમાં તમામ સરકારી કર્મચારીઓ કોઈ પણ એજ ગ્રૂપના હોય તેમને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણીને કરાશે. ૨૪ કલાકમાં ગુજરાતમાં પણ કોરોનાના સૌથી વધુ ૧૭૯૦ કેસ નોંધાતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

રાજયમાં હાલ વેક્સિનેશનની પ્રકિયા પણ ઝડપી કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ ૪૨,૯૪,૫૯૯ લોકોને ડોઝ આપવામાં આવ્યા છે અને હાલ કોઈ ગંભીર આડ અસર જાેવા મળી નથી.

રાજ્યમાં કોરોના વાયરસના નવા ૧૭૯૦ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ૮ લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. ગઈકાલે રાજ્યમાં ૧૨૭૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી ૨,૭૮,૮૮૦ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ ૯૫.૪૫ ટકા પર પહોંચ્યો છે. હાલ ૮૮૨૩ એક્ટિવ કેસ છે, જેમાંથી ૭૯ લોકો વેન્ટિલેટર પર અને ૮૭૪૪ લોકો સ્ટેબલ છે.

આપને જણાવી દઈએ કે ગુજરાતના ચાર શહેરો, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કફ્ર્યુ લાદવામાં આવ્યું છે. ગુજરાત સરકારે જારી કરેલા એક નિવેદનમાં, રાજ્ય સરકારે કોરોના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી કફ્ર્યુ લાદવાનો ર્નિણય લીધો છે, જે ૩૧ માર્ચ સુધી અમલમાં રહેશે.

Related Posts