સમગ્ર રાજ્યમાં કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસિસનો આતંક જાેવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રભરના દર્દીઓ રાજકોટ કિવિલમાં દાખલ થાય છે. રાજકોટમાં હાલમાં મ્યુકરમાઈસિસના ૬૮૦ જેટલા દર્દીઓ દાખલ છે. જેમાંથી સિવિલ હોસ્પિટલમાં ૨૫૦ જેટલા દર્દીઓના ઓપરેશન થયા છે.
જાેકે આટલા ઓપરેશન થવા છતાં છેલ્લા ૧૦ દિવસથી ૩૫૦ જેટલા દર્દી ઓપરેશન માટે વેઇટિંગમાં છે. સર્જનોની મર્યાદિત સંખ્ખાના કારણે સિવિલ હોસ્પિટલમાં તબીબો સતત ૧૨ કલાક ઓપરેશનની કામગીરી કરે છે છતાં વેઇટિંગ ઘટતું નથી.
રાજકોટમાં દાખલ દર્દીમાંથી ૪૦૦ કરતા વધુ દર્દીઓને આંખમાં અસરો થઈ છે. જ્યારે ૭ ટકા દર્દીને મગજમાં ફૂગ પહોંચી છે.
આ મ્યુકરમાયકોસિસના રોગચાળા સંદર્ભમાં રાજ્યના આરોગ્ય વિભાગે ગુજરાતમાં રોગગ્રસ્તોની સારવાર, વય અને જાતિજૂથ તેમજ અન્ય બાબતો અંગે જે તારણો-નિષ્કર્ષ કાઢ્યા છે તેની વિગતો આ મુજબ છે.
રાજ્યભરમાં મ્યુકરમાયકોસિસના અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ દર્દીઓમાંથી ૮૧.૬% દર્દીઓ હાલમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે જયારે ૧૪.૩% દર્દીઓ સાજા થયા છે તેમજ ૪.૧% દર્દીઓના મૃત્યુ થયા છે.
વયજૂથની દૃષ્ટિએ જાેઇએ તો, આ રોગના દર્દીઓ પૈકી માત્ર ૦.૫% દર્દીઓ ૧૮ વર્ષથી ઓછી વયના, ૨૮.૪% દર્દીઓ ૧૮ થી ૪૫ વર્ષની ઉંમરના, ૪૬.૩% દર્દીઓ ૪૫ થી ૬૦ વર્ષની ઉંમરના છે જયારે ૨૪.૯% દર્દીઓ ૬૦ થી વધારે વયના છે.
આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણી એ પુરુષોમાં વધારે જાેવા મળ્યું છે અને અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી ૬૭.૧% પુરુષો જયારે ૩૨.૯% સ્ત્રી દર્દીઓ છે.
Recent Comments