અમરેલી

અમરેલીમાં બ્રહ્માકુમારીઝ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ચકકરગઢના નિવાસી સ્‍વ. બાલુભાઈ પોશીયાના સ્‍મરાણર્થે દર વર્ષે પ મી જુન વિશ્‍વ પર્યાવરણ દિનની ઉજવણીના ભાગ રૂપે આ વર્ષે આવી પડેલા વાવાઝોડાના કારણે ઘરના આંગણામાં તેમજ વાડીમાં ફળફળાદી વૃક્ષોનો સોથ વળી ગયેલ તેને પાછા જીવંત કરવા માટે આ પોશીયા પરિવાર ઘ્‍વારા ચકકરગઢમાં તેમજ આજુબાજુના ગામોમાં 4ર1 કલમી ફળ ફળાદી આંબા, ચિકુ, લીમ્‍બુડી, લીમ્‍બડો જેવા વૃક્ષોનું વિના મૂલ્‍યે વિતરણ કરવામાં આવેલ. આ માટે બ્ર. કુ. વિનુભાઈ પોશીયા તથા બ્ર.કુ. અલ્‍કાબેન પોશીયાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. રોપા વિતરણની જવાબદારી કુ. જિનલ દુધાતે નિભાવેલ. આ સાથે  બ્રહ્માકુમારીઝ અમરેલી  ખાતે કેન્‍દ્રના સંચાલિકા બ્ર.કુ.ગીતાદીદીના હસ્‍તે વૃક્ષા રોપણ કરવામાં આવેલ આ પ્રસંગે દીદીએ જણાવેલ કે વૃક્ષોએ આપણને ખૂબજ આપ્‍યું છે. આપણા સાચા મિત્ર છે. જેથી તેનું જતન કરવું એ આપણા બધાની પહેલી ફરજ છે. માત્ર વૃક્ષા રોપણ કરવુ તે અગત્‍યનું નથી પરંતુ તેનો ઉછેર કરવો એ ખૂબજ અગત્‍યનું  છે તેના પર ભાર પૂર્વક જણાવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્ર.કુ. આઈ.પી.બારડ બ્ર.કુ. ભીખુભાઈ દૂધરેજિયાએ ભારે જહેમત ઉઠાવેલ.  તેમજ આ પ્રસંગે બ્ર.કુ. તૃપ્‍તિબેન બ્ર.કુ. કંચનબેન બ્ર.કુ. દિપાલીબેન બ્ર.કુ. અર્ચનાબેને હાજરી આપેલ.

Related Posts