ગુજરાત

સુરતમાં રાત્રે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી પેટ્રોલ પંપ બંધ રહેશે

સુરતના સોસિયો સર્કલ ઉપર આવેલા સર્વોત્તમ પેટ્રોલ પંપ ઉપર થોડા દિવસ અગાઉ એક યુવક સાથે પેટ્રોલ પંપના કર્મચારીઓને બોલાચાલી થઈ હતી ત્યારબાદ યુવક સાથે મારામારી કરતા તેનું મોત નીપજયું હતું. જેને લઈને હાલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ પેટ્રોલ પંપના સંચાલકોએ આ પ્રકારના તોફાની તત્વો તેમના પેટ્રોલ પંપ ઉપર રાત્રિના સમયે આવતા હોવાને કારણે રાતે ૧૦ઃ૦૦ થી ૦૬ઃ૦૦ સુધી પેટ્રોલ પંપ બંધ રાખવાનો ર્નિણય કર્યો છે.

મહદંશે સુરત શહેરમાં રાત્રિના સમયે તોફાની તત્વો ખૂબ જ સક્રિય થઈ જાય છે. સામાન્ય પ્રજાને હેરાન કરવામાં આવવા લુખ્ખા તત્વો કોઈ કસર છોડી રહ્યા નથી. રસ્તે ચાલતી મહિલાઓના અછોડા તોડવા અથવા તો મહિલાઓની છેડતી કરવી, ઓવર સ્પીડ ગાડીઓ હંકારવી, થાળી પીણીની લારીઓ ઉપર દારૂ પીધા બાદ તોફાન મચાવી આ પ્રકારની સતત ઘટનાઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં બની રહી છે. આ પ્રકારના લુખ્ખા તત્વોથી સુરતીઓ પણ ખુબ જ સરસ થઈ ગયા છે. મોડી રાત્રે પેટ્રોલીંગ અને જે પ્રકારની સ્થિતિ છે તેને લઈને પણ શહેરમાં ચર્ચા થઈ રહી છે.

Related Posts