બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જુથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ૨૦/૦૬/૨૦૨૧નાં રોજ જાહેરાત બહાર પાડી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. જેમાં આશરે ૧,૮૧,૧૬૨ જેટલી ઓનલાઈન અરજીઓ વેબપોર્ટલ પર મળેલ હતી. આ અરજીઓની ચકાસણી કર્યા બાદ કુલ ૨૬,૦૦૦ જેટલી અરજીઓ વિવિધ કારણોસર અમાન્ય થયેલ છે. જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ અરજદારો તેમજ વિવિધ સંગઠનો દ્વારા મળેલ રજુઆતો અન્વયે અમાન્ય થયેલ અરજીઓ માટે અરજદારોને ઓનલાઈન કરેલ અરજીના જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાની એક તક આપવા અંગેની બાબત ધ્યાને લઈ જે અરજદારોની ઓનલાઈન અરજી રીજેક્ટ થયેલ છે. માત્ર તેવા અરજદારો તા. ૧૭/૦૭/૨૦૨ થી તા. ૧૯/૦૭/૨૦૨૧ ના સમયગાળા દરમિયાન ઓનલાઈન વેબપોર્ટલ https://rte.orpgujarat.com/ પર જઈ એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી રીજેક્ટ થયેલ અરજીમાં જો કોઈ જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોઈ તો અપલોડ કરી પોતાની એપ્લિકેશન સબમિટ કરી શકશે. અરજદારોને SMS દ્વારા જાણ કરવામાં આવશે.
આ સમયગાળા બાદ રીજેક્ટ થયેલ અરજીઓની પુનઃ ચકાસણી જિલ્લા કક્ષાએ તા.૨૦/૦૭ ૨૦૨૧ થી તા.૨૨/૦૭/૨૦૨૧ દરમિયાન કરવામાં આવશે. જે અરજદારો આ સમયગાળા દરમિયાન પોતાની રીજેક્ટ થયેલ અરજીમાં કોઈ સુધારો કરવા ન માંગતા હોય તો તેઓની અરજી અમાન્ય રાખી નિયમાનુસાર આર.ટી.ઈ. પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમજ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા.૨૭/૦૭/૨૦૨૧ મંગળવારના રોજ જાહેર કરવામાં આવશે.
Recent Comments