અમરેલી

ખેડૂતો માટેની પશુ સંચાલિત વાવણીયા યોજનાનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા જોગ

રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટેની પશુ સંચાલિત વાવણીયા યોજનાનો લાભ લેવા ૦૨/૧૦/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી માટે પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે. જિલ્લાના તમામ ખેડુતોએ i-khedut પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરીને, અરજીની પ્રિંટ લઇ તેમાં ખેડુતે સહી કરવાની રહેશે. અરજીની સાથે જરૂરી સાધનિક કાગળ જોડીને અરજીની નકલ ગ્રામસેવક અથવા તાલુકા ખેતીવાડી કચેરીને પહોંચાડવાની રહેશે. આ યોજનાઓની વધુ વિગત પોર્ટલ ઉપર જોઇ શકાશે આ અંગે વધુ માહિતી માટે ખેતીવાડી કચેરીની મુલાકાત લેવા એક યાદીમાં જણાવવામાં આવે છે.

Related Posts