અમરેલી તાલુકાનાં વરસડા ગામે આશ્રમનાં કલર કામ માટે ફાળો ઉઘરાવી રહેલ ચંપુભાઈ રામભાઈ વાળાને તે જ ગામે રહેતા ચંપુભાઈ વલકુભાઈ ધાધલ નામનાં ઈસમે ઉશ્કેરાઈ જઈ છાતીનાં ભાગે છરીનાં ઘા મારી દઈ ગંભીર ઈજા કરી મોત નિપજાવી નાશી ગયાની ફરિયાદ અમરેલી તાલુકા પોલીસમાં નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવમાં અમરેલી તાલુકાનાં વરસડા ગામે રહેતા અને મંદિર તથા રણછોડદાસબાપુનાં આશ્રમમાં સેવા પૂજાનું કામ કરતા ચંપુભાઈ રામભાઈ વાળા રાત્રીનાં સમયે વરસડા ગામે ગુલાબભાઈ ઠાકોર, દડુભાઈ આહીર સાથે વરસડા ગામે આવેલ આશ્રમમાં કલર કામ કરવા માટે થઈ ગામમાંથી ફાળો ઉઘરાવી રહૃાા હતા.
ત્યારે તે જ ગામે રહેતા ચંપુભાઈ વલકુભાઈ ધાધલ નામનાં ઈસમે આ ફાળો ઉઘરાવી રહેલ લોકોને જેમફાવે તેમ બોલવા લાગતા ચંપુભાઈ વાળા તેમને સમજાવવા જતાં આરોપી ચંપુભાઈ વલકુભાઈ ધાધલે ઉશ્કેરાઈ જઈ અને પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કરી છાતીના ભાગે ગંભીર ઈજા કરતા ઘવાયેલ ચંપુભાઈ વાળાનેસારવાર માટે અમરેલી ખસેડાયેલ જયાં આ ચંપુભાઈ વાળાનું મોત નિપજયું હતું જયારે આરોપી ચંપુભાઈ વલકુભાઈ ધાધલ નાશી છુટયો હતો. તેને પોલીસે ઝડપી લીધો હતો. આ બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
Recent Comments