બાબરા કોરોનાકાળમાં મૃત્યુ પામનાર લોકોને ચાર લાખનું વળતર અને સરકારી કર્મચારીઓના પરિવારને વળતરની સાથે નોકરી આપોધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર સહિત તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા બાબરા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુંકોરોનામાં મૃત્યુ પામનારના સાચા આંકડા સામે કેન્દ્ર અને રાજ્ય સરકાર જુઠાણું ફેલાવે છે
ધારાસભ્ય ઠુંમર રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનાર પરીવારને રાજ્ય સરકાર દ્વારા ૫૦ હજાર ની આર્થિક સહાય કરવામાં આવતા કોંગ્રેસ પક્ષ દ્વારા નારાજગી વ્યક્ત કરી પૂરતા પ્રમાણમાં પરિવારને વળતર ચુકવવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે બાબરામાં તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની આગેવાની હેઠળ તાલુકાના કોંગ્રેસના અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ,મનસુખભાઈ પલસાણા,ચંદુભાઈ સાકરીયા,ધીરુભાઈ વહાણી,ખીમજીભાઈ મારૂ,બાવાલાલ હિરપરા,કિશોરભાઈ દેથલીયા,ઉકેશભાઈ શિયાણી,સહિતના સ્થાનિક અગ્રણીઓ દ્વારા બાબરા મામલતદાર મારફત રાજ્ય સરકારને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે રાજયમ કોરોના કાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ઘણા પરિવારોએ મોભી પણ ગુમાવતા પરિવારનો નિર્વાહ ચલાવો મુશ્કેલ બન્યો છે ત્યારે રાજ્ય સરકાર માત્ર ૫૦ હજાર ની સહાય ચૂકવી મજાક કરી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે દરેક પરિવાર ને ચાર લાખ ની આર્થિક મદદ કરવામાં આવે અને સરકારી કર્મચારી ના પરિવારને આર્થિક વળતર સાથે નોકરી પણ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આક્રોશ સાથે જણાવ્યુ હતુ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર જુઠાણું ફેલાવવા વધુ પડતી આગળ છે રાજ્યની સરકારને વધુ આર્થિક મદદ નો કરવી પડે માટે રાજ્યમાં કોરોનામાં મૃત્યુ પામનાર વ્યક્તિઓના સાચો આંકડો પણ જાહેર નથી કર્યો ત્યારે રાજ્ય સરકાર એક લાખ અને કેન્દ્ર સરકાર ૩ લાખ ની મદદ વડે પરિવારને કુલ ચાર લાખની મદદ મદદ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવાના આવી હોવાનું ધારાસભ્ય ઠુંમર દ્વારા અંતમાં જણાવ્યું હતું
Recent Comments