ગુજરાત

ત્રીજી લહેર વચ્ચે વાઈબ્રન્ટ સમિટ મોકૂફ રાખી રાજ્યમાં આવનાર ખતરાને ટાળ્યો

મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ દેશોમાં પણ સંક્રમણ વધ્યું છે. રાજ્યમાં સંક્રમણનો ફેલાવો રોકવા માટે સર્વગ્રાહી સમીક્ષા બાદ રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ રાખી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, મુખ્યમંત્રીએ સમિટના આયોજન માટે માર્ગદર્શન કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટનર કંટ્રી તરીકે જાેડાયેલાં રાષ્ટ્રો, સમિટમાં અપેક્ષિત વિવિધ દેશોના વડાઓ, ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળો, દેશભરના ઉદ્યોગકારો, વેપાર-ઉદ્યોગ મંડળો, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ તથા અધિકારીઓ અને સમિટના આયોજનમાં જાેડાયેલા સહુનો આભાર માન્યો હતો આ દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે ૧૭ હજારથી વધુ વ્યક્તિગત અને ૭૦૦૦થી વધુ બિઝનેસ ડેલિગેશનનું રજિસ્ટ્રેશન થયું હતું.

જાેકે અગાઉ યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તુલનાએ કોરોનાને કારણે આ સમિટમાં થયેલું રજિસ્ટ્રેશન પાંચમા કે છઠ્ઠા ભાગનું રહ્યું હતું.ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવતાં આખરે રાજ્ય સરકારે આગામી ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકૂફ રાખવાનો ર્નિણય કર્યો છે, સાથે જ અમદાવાદમાં યોજાનારા ફ્લાવર શો તથા પતંગોત્સવ પણ રદ કરવામાં આવ્યા છે. વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી પ્રતિનિધિમંડળો આવવાના હતા. જાેકે ગુજરાત સહિત દેશ તથા દુનિયાભરમાં પણ સંક્રમણ વ્યાપક બનતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમિટ મોકૂફ રાખવાનો ર્નિણય કર્યો છે.

Related Posts