ગુજરાત રાજયમાં મધ્યાન ભોજન યોજનામાં અંદાજીત ૯૬૦૦૦ જેટલા કર્મચારીઓ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, મધ્યાન ભોજન યોજનામાં કામ કરતા કર્મચારીઓ ફકત ૧૬૦૦ રૂપીયા તથા રસોયાને ફકત ૧૪૦૦ રૂપીયા માનદ વેતન મળે છે, જે હાલના સમય પ્રમાણે અપૂરતું છે, દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારી સામે ટકવા માટે અને પરીવારનું ગુજરાન ચલાવવા માટે આટલું માનદ વેતન ખુબ જ ઓછું પડે છે, સુપ્રીમકોર્ટના આદેશ મુજબ ભારત દેશના ખાનગી તથા સરકારી કર્મચારીઓને લધુતમ વેતન આપવા માટેના આદેશનું ગુજરાત સરકાર ખુલ્લે આમ અનાદર કર્યો છે, ગુજરાત સરકારે સુપ્રીમકોર્ટના આદેશનું પાલન કરીને આવા કર્મચારીઓને લધુતમ વેતન મળી રહે તથા મધ્યાન ભોજનમાં કામ કરતા કર્મચારીઓને કાયમી કરવા જોઈએ.
ગુજરાત સરકાર મધ્યાન ભોજનના કર્મચારીઓનું શોષણ બંધ કરે : પરેશ ધાનાણી

Recent Comments