સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં બ્રિજનું કાચું બાધકામ ધરાશાયી થતાં ૨ મજૂરને ઈજા

રાજકોટની માધાપર ચોકડી પાસે મોડીરાત્રે નવા બની રહેલા ઓવરબ્રિજનું કાચુ બાંધકામ નમીને ધરાશાયી થયું હતું. જાેકે, બાજુમાંથી પસાર થતા મુખ્ય હાઈવે પર હજારોની સંખ્યામાં વાહનોની અવર-જવર થતી હોય છે. જાે બાંધકામ આ હાઈવે પર પડત તો અનેક વાહનચાલકોના જીવ જાેખમાત. પરંતુ મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. જાેકે બે મજૂરને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઓવરબ્રિજનું કાચુ બાંધકામ નમી પડતા રાતોરાત અધિકારીઓ દોડી ગયા હતા અને જેસીબી સહિત મશીનરીથી બાંધકામ સરખું કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

કોંગ્રેસ અગ્રણી હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ભાજપના મળતીયાઓના કમિશન હોવાથી નબળી ગુણવત્તાનું મટિરિયલ ઉપયોગમાં લેવામાં આવ્યું છે. ઓવરબ્રિજના મેઇન પિલરો નમી પડ્યાં છે. બીજી તરફ રાત હોવાથી મજૂરો પણ કામ કરતા ન હોવાથી જાનહાનિ ટળી છે. ઘટનાને પગલે આસપાસમાંથી પસાર થતા વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા. આ બ્રિજ નમીને બાજુમાંથી પસાર થતા મુખ્ય હાઇવે પર પડત તો મોટી જાનહાનિ થઈ શકે તેમ હતી. રાજકોટમાં અમદાવાદની જેમ બ્રિજનું કાચું બાંધકામ ધરાશાયી થતા લોકોના મનમાં અનેક સવાલો ઊઠી રહ્યા છે. નવ નિર્માણ થઈ રહેલા ઓવરબ્રિજના ૧૪ નંબરના પિલરનો કોંક્રિટનો ભાગ તૂટી પડ્યો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે મોડી રાતે ૪થી ૫ વાગ્યે આ બનાવ બન્યો હતો. હાલ નબળા ભાગને દૂર કરવા વેલ્ડિંગ અને જેસીબી મશીન કામે લગાડવામાં આવ્યા છે. સાંજે ૬ વાગ્યા આસપાસ બ્રિજ માટેના બોક્સ ગર્ડરમાં સિમેન્ટ-કોંક્રિટ ભરવામાં આવી રહ્યું હતું, ત્યારે સેન્ટ્રીગના લોખંડના સ્ટેન્ડ ફસકી જતા બ્રિજના બિંબનો આખો ભાગ ધરાશાયી થયો હતો. હાલ બ્રિજનું કામ ચાલુ હોય ત્યાં જામનગર રોડની બન્ને તરફ ત્યાં જ સર્વિસ રોડ અપાયો છે. બનાવ વખતે ત્યાં જઈ રહેલી એક ઇકો કાર બાંધકામના કાટમાળ નીચે દબાતા સહેજમાં રહી ગઈ હતી અને ઇકોમાં બેઠેલા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા.

Related Posts