રાષ્ટ્રીય

શું તમને પગમાં દુખાવો વારંવાર થાય છે? જાણો શું છે તેના પાછળનું મોટુ કારણ….

શું તમને પગમાં દુખાવો વારંવાર થાય છે? જાણો શું છે તેના પાછળનું મોટુ કારણ….

બદલતી જતી લાઈફ સ્ટાઈલના કારણે આજકાલ શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ રહી છે. એવામાં પગનો દુખાવો સામાન્ય વાત બની ગઈ છે. એવામાં આજે અમે આપને જણાવીશું કે શેના કારણે આપણને પગમામાં દુખાવો થાય છે. ચાલો જાણીએ..

ઘણી વખત શરીરમાં જરૂરી પોષક તત્વો ન હોવાના કારણે પણ આપણને પગમાં દુખાવો થતો  હોય છે. શરીરમાં પોષકતત્વોની અછત પગમાં દુખાવાનું પ્રમુખ કારણ હોઈ શકે છે. આવામાં અમે તમને જણાવશું કે પગમાં દુખાવાથી શરીરમાં ક્યા પોષકતત્વોની અછત હોઈ શકે છે. 

વિટામિન બી12
વિટામિન બી12 શરીર માટે ખૂબ મહત્વનું છે, કારણ કે તે શરીરમાં ડીએનએ (DNA) અને લાલ રક્ત કોશિકાઓ બનાવવા માટે મદદ કરે છે. વિટામીન બી12 વિના લાલ રક્ત કણો બનાવવા ખુબ જ મુશ્કેલ હોય છે જો આ ન થવાથી શરીરમાં મેગાલોબ્લાસ્ટીક એનીમિયાની સમસ્યા ઉત્પન્ન થાય છે. આટલું જ નહીં, શરીરમાં કોલેસ્ટરોલનું સ્તર બરાબર રાખવામાં, શરીરને ઉર્જા આપવા તેમજ ત્વચા, વાળ અને નખ માટે વિટામિન બી12 ખુબ જ જરૂરી છે. 

શરીરમાં વિટામિન બી12ની અછતથી પણ તમારા પગમાં દુખાવાની સંભાવના વધી જાય છે.  આવામાં શરીરમાં વિટામિન બી12 ઓછું થવા પર નબળાઈ તથા થાક લાગે છે. એટલા માટે જ વિટામિન બી12થી ભરપૂર આહાર જેમકે માછલી તથા શેલફીશ, દૂધ, ઈંડા જેવા ખોરાકો શામેલ કરો, જેથી તમારા શરીરને લાભ થશે. 

આયરન 
શરીરમાં આયરનની અછતથી આપણા પગમાં દુખાવો થાય છે. આયરનની ઉણપ હોય તો લેગ્સ સિન્ડ્રોમ પેઈન થઇ શકે છે. આ સ્થિતિ મોટેભાગે ગર્ભવતી મહિલાઓમાં જોવા મળે છે. ત્યારે શરીરમાં આયરનનું મહત્વ ખુબ વધારે હોય છે.

Related Posts