અમરેલી

ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત અમરેલી જિલ્લાના ૮૨ હજાર લાભાર્થીઓને ૧૦૨ કરોડની સહાય અપાશે

આવતીકાલે ૨૬ ફેબ્રુઆરીના રોજ અમરેલીના લીલીયા રોડ સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ૨૩ ફેબ્રુઆરીના અહેવાલ મુજબ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત અમરેલી જિલ્લાના ૮૨,૮૭૮ ગરીબોને રૂ. ૧૦૨ કરોડથી પણ વધુ રકમના સાધન સહાય સહિતના લાભો પહોંચાડવામાં આવનાર છે. જો કે ઓનલાઇન નોંધણીની પ્રક્રિયા હજુ સુધી શરુ હોવાથી સહાય અને લાભાર્થીઓનો આંકડો વધી શકે છે.

તાલુકાવાર લાભાર્થીઓની વાત કરીએ તો, આ ગરીબ કલ્યાણ મેળામાં જાફરાબાદ તાલુકાના ૭૧૭૭ લાભાર્થીને રૂ.૧૦.૪૨ કરોડ, અમરેલી તાલુકાના ૪૩૪૧ લાભાર્થીને રૂ.૪.૪૭ કરોડ, બાબરા તાલુકાના ૫૭૧૦ લાભાર્થીને રૂ. ૬.૮૫ કરોડ, બગસરા તાલુકાના ૩૮૫૯ લાભાર્થીને રૂ. ૫.૯૨ કરોડ, ધારી તાલુકાના ૯૩૨૯ લાભાર્થીને રૂ. ૭ કરોડ, જાફરાબાદ તાલુકાના ૪૮૪૦ લાભાર્થીને રૂ. ૪.૪૪ કરોડ, ખાંભા તાલુકાના ૬૮૧૫ લાભાર્થીને રૂ. ૭.૫૮ કરોડ, કુંકાવાવ-વડિયા તાલુકાના ૬૩૨૯ લાભાર્થીને રૂ. ૮.૭૩ કરોડ, લાઠી તાલુકાના ૬૪૪૯ લાભાર્થીને રૂ. ૬.૯૩ કરોડ, લીલીયા તાલુકાના ૩૭૭૯ લાભાર્થીને રૂ. ૬ કરોડ, રાજુલા તાલુકાના ૫૮૨૫ લાભાર્થીને રૂ. ૭.૩૪ કરોડ અને સાવરકુંડલા તાલુકાના ૬૪૪૪ લાભાર્થીને રૂ. ૭.૫૮ કરોડની લોન-સહાય આપવામાં આવશે.

નગરપાલિકાવાર લાભાર્થીઓની વાત કરીએ તો, આ ગરીબ કલ્યાણ મેળામાં ચલાલા નગરપાલિકા વિસ્તારના ૧૩૩૧ લાભાર્થીને રૂ.૧.૬૭ કરોડ, સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના ૩૮૦૮ લાભાર્થીને રૂ.૨.૯૬ કરોડ, અમરેલી નગરપાલિકા વિસ્તારના ૪૭૩૫ લાભાર્થીને રૂ.૧.૧૫ કરોડ, લાઠી નગરપાલિકા વિસ્તારના ૧૯૯૪ લાભાર્થીને રૂ.૧.૨૪ કરોડ, દામનગર નગરપાલિકા વિસ્તારના ૭૭૧ લાભાર્થીને રૂ.૭.૬૮ કરોડ, રાજુલા નગરપાલિકા વિસ્તારના ૧૬૨૪ લાભાર્થીને રૂ.૧.૬૩ કરોડ, બાબરા નગરપાલિકા વિસ્તારના ૨૦૮૭ લાભાર્થીને રૂ.૪ કરોડ, બગસરા નગરપાલિકા વિસ્તારના ૧૮૩૮ લાભાર્થીને રૂ.૪.૪૯ કરોડ અને જાફરાબાદ નગરપાલિકા વિસ્તારના ૯૭૦ લાભાર્થીને રૂ.૫.૬૫ કરોડની લોન-સહાય આપવામાં આવશે.

આમ, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ૬૩ હજાર લાભાર્થીઓને ૭૩ કરોડથી વધુનાં સાધન સહાય સહિતના યોજનાકીય લાભો તેમજ શહેરી વિસ્તારનાં ૧૯ હજાર લાભાર્થીઓને ૨૮ કરોડથી વધુના યોજનાકીય લાભો પ્રાપ્ત થશે.

Related Posts