અમરેલી

રાજુલા એનએસયુઆઇ ટીમ દ્વારા આયોજિત રક્તદાન શિબિર ૫૧ બોટલ રક્ત એકત્ર

 રાજુલા કુમાર શાળા નં ૧ પ્રાથમિક શાળા ખાતે રાજુલા એનએસયુઆઇ ટીમ દ્વારા બાંભણીયા બ્લડ બેંક ભાવનગર નાં સહયોગ થી એનએસયુઆઇ પ્રમુખ રવિરાજ ધાખડા, યુવા નેતા અજય શિયાળ તેમજ ઝહિર પોપટીયા, નીતિન જાદવ, નિશાલ પરમાર તથા રાજુલા NSUI ટીમ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. આ રક્તદાન શિબિર માં ૫૧ જેટલા રક્તદાતાઓ એ રક્ત દાન કરી ને “રક્તદાન મહાદાન” સૂત્ર ને સાર્થક કર્યું હતું. આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ બકુલભાઇ વોરા, નગરપાલિકા નાં સદસ્ય ઘનશ્યામભાઈ વાઘ, દિપકભાઈ ઠક્કર, જયેશભાઇ દવે, ક્રોંગ્રેસ અગ્રણી દિપકભાઈ ત્રિવેદી, પીપાવાવ સરપંચ ભાણાભાઈ ગુજરીયા, કુંડલિયાળા સરપંચ ગાંગાભાઈ હડિયા, ઝાંઝરડા સરપંચ અશોકભાઈ જીંજાળા, યુવા આગેવાન સમીરભાઈ કનોજીયા સહિત રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts