કેટલાક સમયથી 15 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે હવે 12થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિનેશન આપવામાં આવશે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિનેશન આપવામાં આવશે તેવું માંડીવાયા ટ્વીટ કરીને જણાવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે, હવે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિનેશન આપવામાં આવશે. મનસુખ માંડવીએ ટ્વીટર પર થોડી જ મિનિટો પહેલા જનાવ્યું કે, બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત! મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12 થી 13 અને 13 થી 14 વર્ષની વયજૂથના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત, 60+ વર્ષની દરેક વ્યક્તિ હવે પ્રિકોષન ડોઝ મેળવી શકશે. હું બાળકોના પરિવારો અને 60+ વર્ષની વયના લોકોને વિનંતી કરું છું કે તેઓએ રસી લેવી જ જોઈએ. નોંધનીય છે કે, સરકારે બીજા તબક્કામાં 15થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની જાહેરાત કરી દીધી હતી. મનસુખ માંડવિયાએ ટ્વિટ કર્યું છે કે, બાળકો સુરક્ષીત રહે માટે 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. તે સાથે જ 60થી વધુ ઉંમરના ને પણ આ ડોઝ મળશે.
મોટા સમાચાર : 16 માર્ચથી 12થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિનેશન આપવામાં આવશે, માંડવિયાએ આપી જાણકારી

Recent Comments