ધર્મ દર્શન

આ ખાસ દિવસે મની પ્લાન્ટ વાવો ઘરમાં, અઢળક થશે ધન લાભ

મોટાભાગના લોકોના ઘરોમાં મની પ્લાન્ટનો છોડ હોય છે. વાસ્તુ અનુસાર આ છોડનું ખૂબ મહત્વ રહેલું છે. જો તમારા ઘરમાં આ પ્લાન્ટ ના હોય તો તમે ચોક્કસથી લાવો. માનવામાં આવે છે કે મની પ્લાન્ટનો છોડ તમારા ઘરમાં લક્ષ્મી લાવે છે. જો કે મની પ્લાન્ટ ઘરમાં લાવો ત્યારે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ પ્લાન્ટને બરાબર રીતે ધ્યાન આપી શકતા નથી તો ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે.

  • મની પ્લાન્ટને દરરોજ સવારે થોડુ પાણી પીવડાવો. આમ કરવાથી તમારા ઘરની નેગેટિવવિટી બહાર જાય છે અને પોઝિટિવિટીનો સંચાર થાય છે.
  • તમારું ઘર બીમારીઓથી ભરાઇ ગયુ હોય તો તમે મની પ્લાન્ટ ઘરમાં લાવો. આ પ્લાન્ટથી તમારા ઘરની બીમારીઓ દૂર થઇ જશે અને તમને માનસિક શાંતિ પણ મળશે.
  • એવું કહેવાય છે કે જેમ મની પ્લાન્ટ વધતો જાય એમ ઘરમાં આવકનો વધારો થાય છે.
  • મની પ્લાન્ટ ક્યારે પણ ઘરમાં ઉત્તર પૂર્વ ખુણામાં લગાવવું જોઇએ નહિં. મની પ્લાન્ટનો ગ્રહ શુક્ર છે.
  • મની પ્લાન્ટ છોડ તમે લગાવવા ઇચ્છો છો તો બુધવારના દિવસે લગાવો.
  • જો તમારા ઘરમાં તમને બહુ નાણાંકીય તકલીફ પડતી હોય તો તમે ઘરના મુખ્ય દ્રારની બહાર મની પ્લાન્ટ વાવો. આ મની પ્લાન્ટ તમારી અનેક નાણાંકીય તકલીફને દૂર કરશે.
  • વાસ્તુ અનુસાર જો તમે મની પ્લાન્ટને ઘરના મુખ્ય દ્રાર પર વાવો છો તો એને ખૂબ શુભ માનવામાં આવે છે. આ માટે શક્ય હોય ત્યાં સુધી મની પ્લાન્ટને અહિં વાવો.
  • મની પ્લાન્ટને તમે કુંડા કે પાણીમાં એમ પણ કોઇ પણ જગ્યાએ રાખી શકો છો. જો તમારી પાસે વધુ સમય ના હોય તો તમે એક મિનિટ પણ આ પ્લાન્ટની પૂજા કરો છો તો તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.

Related Posts