સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત શહેર- જિલ્લાની હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે
સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાથી દર્દીઓને વિવિધ ચેપમાંથી મુક્તિ મળશે અને તેમની આસપાસ સુંદર વાતાવરણનું સર્જન થશે -જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એ.કે. તાવિયાડ
આ ઉપરાંત તમામ તાલુકા હેલ્થ કચેરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લાની હોસ્પિટલમાં તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સ્વચ્છતા અંગેના શપથ લેવામાં આવ્યાં હતાં.
જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એ.કે. તાવિયાડે આ અંગે જણાવ્યું કે, આપણને સૌને આપણી આસપાસ સ્વચ્છતા ગમે છે. હોસ્પિટલમાં પણ દર્દીઓને ઘર જેવું વાતાવરણ મળે તે માટે સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાથી દર્દીઓને વિવિધ ચેપમાંથી મુક્તિ મળશે અને તેમની આસપાસ સુંદર વાતાવરણનું સર્જન થશે. જેનાથી દર્દીના રિકવરી રેટમાં નોટપાત્ર ફેરફાર આવશે અને દર્દી ઝડપથી પોતાનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકશે.
આ ઉપરાંત શહેર અને જિલ્લાની હોસ્પિટલો અને કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા તેમજ “સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા, સ્વચ્છતા ત્યાં પ્રભૂતા” ના સૂત્રને ચરિતાર્થ કરવા શપથ લેવામાં આવ્યાં હતાં.
હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ન લાગે તેમજ આરોગ્ય કેન્દ્ર સ્વચ્છ અને સુઘડ દેખાય, નાગરિકો દ્વારા સરકારી સ્વાસ્થ્ય સંસ્થાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે એ બાબતનું વાતાવરણ નિર્મિત કરવાં તમામ સ્ટાફ કટિબધ્ધ થયો હતો.
Recent Comments