અમરેલી

સ્વતંત્રતા સેનાનીઓના સન્માન સમી આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાનું અમરેલીમાં આગમન થશે

અમરેલીના શિવાજી ચોક ખાતે સાંજે ૦૫:૩૦ કલાકે ભવ્ય બાઈક યાત્રાનું આગમન થશે

ઇફ્કો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી4 પ્રદેશ ભાજપ યુવા મોરચા અધ્યક્ષ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ4 જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા4 સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા4 પ્રદેશ ભાજપ યુવા મોરચા ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી સહિતના આગેવાનો હાજર રહેશે

ગુજરાત પ્રદેશ  ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાઈક રેલીનુ ભવ્ય આયોજન

રાષ્ટ્ર સેવા અને જાગૃતિના સંકલ્પ સાથે પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા રાજ્યભરમાં ભવ્ય બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ યાત્રા કર્યા બાદ આ યાત્રા આજરોજ અમરેલી શહેરમાં આગમન થશે.

સ્વતંત્રતા સેનાનીઓના સન્માન સમી આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રાનું  આજરોજ અમરેલીના જેસિંગપરા શિવાજી ચોક ખાતે સાંજે ૦૫:૩૦ કલાકે ભવ્ય બાઈક યાત્રાનું આગમન થશે. જેમા ઇફ્કો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી4 પ્રદેશ ભાજપ યુવા મોરચા અધ્યક્ષ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ4 જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા4 સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા4 પ્રદેશ ભાજપ યુવા મોરચા ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી સહિતના આગેવાનો હાજર રહેશે.

આ યાત્રાનું વિવિધ સામજિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવશે. શહિદવિરોના ઘરની માટીને કળશમા લઈને અમરેલી અમર જવાન જ્યોત ખાતે અર્પણ કરવામા આવશે. અમરેલી જિલ્લા યુવા ભાજપની ટીમ અને પ્રમુખ શ્રી ચેતન શિયાળ દ્વારા આ બાઈક યાત્રામાં વધુમાં વધુ લોકોને જોડાવવા માટે આહ્વાન કર્યું છે.

Related Posts