ગુજરાત

ડોકટરની ઘોર બેદરકારીથી થયેલ મૃત્યુની તપાસ તેમજ વળતર અંગે કોંગ્રેસ ધારાસભ્યનો કલેકટરને પત્ર

ગાંધીનગર સરગાસણ આશ્કા હોસ્પિટલના ડોકટરની ઘોર બેદરકારીથી થયેલ મૃત્યુની તપાસ તેમજ વળતર અંગે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડા દ્વારા કલેકટરને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં લખવામાં આવેલી વિગતો મુજબ, ગાંધીનગર ખાતે મૃતકના સ્નેહીજનો અને સમાજના આગેવાનો દ્વારા મને રૂબરૂ મળવા આવેલ જેમાં સરગાસણ વિસ્તારમાં આવેલ આશ્કા ખાનગી હોસ્પિટલમાં તાજેતર કુડાસણ ખાતે રહેતા 39 વર્ષીય સુરેન્દ્રસિંહ ચૌહાણ પેટના દુ:ખાવો થતા આશ્કા હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા. ત્યાં તેમને ડોક્ટર દ્વારા સારવાર કરતા તેમને પથરીનો દુ:ખાવો છે તેમ જણાવી તેમને ઓપરેશન કરવા કહ્યું હતું. ત્યારબાદ તેમનું ઓપરેશન કરવામાં આવેલ હતું. ત્યારે ડોક્ટરની બેદરકારીના કારણે તેમનું મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ થતાં તેમના સગાંવહાલાં દ્વારા શંકા જતાં મૃતકનો દંડ લેવાનો ઇનકાર કરતાં મોટો હોબાળો કરાયો હતો. અને મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવા જણાવેલ હતું.

તેમ છતાં હોસ્પિટલ દ્વારા કોઈજ કાર્યવાહી ન કરતા પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને અમદાવાદ મોકલી પેનલ દ્વારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.    તેમના સગાને હજુ સુધી કોઝ ઓફ ડેથ પણ આપવામાં આવેલ નથી. ગંભીર બાબતે એ છે કે, જયારે દર્દીનું ઓપરેશન કર્યું અને તેનું મૃત્યુ થતાં તે દરમિયાન હોસ્પિટલના સ્ટાફે પોતાના બચાવ માટે મૃતકના હાથના અંગુઠાનું નિશાન એક પીળા રંગના ફોર્મમાં લેવામાં આવ્યું હતું.  તે સમયે દર્દીના સગાઓએ તે ફોટા પણ લીધેલ છે. આ રીતે મૃતકનો આવી રીતે અંગુઠાનું નિશાન લઇ તે પોતાનો બચાવ કરતા હોય તેમ લાગે છે. આ ઓપરેશન જયારે કરવાનું હતું ત્યારે દર્દીના સગાને લેસરથી પથરી કાઢવાનું કહી લેપ્રોસ્કોપી પદ્ધતિથી પરેશન કર્યું હતું,જે આ બાબતની તેઓના સંબધીને જાણ કરેલ ન હતી.તેમ છતાં હોસ્પિટલના સંચાલકો સામે આજદિન સુધી કોઈજ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને  મૃત્યુ થતાં સગા દ્વારા ફરિયાદ લેવાની પણ આનાકાની કરેલ છે.

Related Posts