અમરેલી

રેડક્રોસ સોસાયટી–અમરેલી અને અમરેલી જિલ્લા પોલીસ દ્ધારા અમરેલી જિલ્લાના પોલીસ પરિવારો માટે સર્વરોગ નિદાન કેમ્પ

અમરેલી જિલ્લાના નવા એસ.પી. હિમકરસિંઘ સાહેબે
અમરેલીમાં એસ.પી. તરીકે ચાર્જ સંભાળ્યા બાદ
કાયદો–વ્યવસ્થાની સાથે સાથે પોલીસ પરીવારના આરોગ્યની
ચિંતા પણ કરતાં રહે છે. તેમના આગ્રહને કારણે અમરેલી
રેડક્રોસ સોસાયટીના ચેરમેનશ્રી ડો.ભરત કાનાબાર દ્ધારા
આજે, રવિવારે સવારે–૯ વાગ્યાથી, પોલીસ હેડક્વાટરમાં આવેલ
પોલીસ કોમ્યુનિટી હોલમાં અમરેલીના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત
ડોકટરોનો એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે.
આ કેમ્પમાં અમરેલીના જાણીતા ફીઝીશ્યન ડો.
અશોકભાઈ પરમાર, ડો.સ્નેહલ પંડયા, બાળરોગ નિષ્ણાંતો
ડો. જયદિપ પટેલ અને ડો. ગુંજન મોવલીયા, સ્ત્રી રોગ
નિષ્ણાંતો ડો. મીનાબેન ગોયાણી તથા ડો. પીયુષ ગોસાઈ,
સર્જન ડો. ભરત કાનાબાર અને ડો. ધડુક સાહેબ, હાડકાના
નિષ્ણાંત સર્જન ડો. કલ્પેશભાઈ ટાંક અને ડો. ભરત કળથીયા,
કાન–નાક–ગળાના સર્જન ડો. નિખિલભાઈ વાળા અને ડો.
કૃતિકાબેનબેન શાહ, ચેસ્ટ ફીઝીશ્યન ડો. ડબાવાલા સાહેબ,
આંખના સર્જન ડો. દર્શન ગોસ્વામી તથા સુદર્શન આઈ
હોસ્પીટલનો સ્ટાફ, ચામડીના રોગો માટે સ્કીન સ્પેશીયાલીસ્ટ
ડો. દેવકીબેન મોગા તથા પ્રખ્યાત દાંતના રોગોના
નિષ્ણાંત ડો. મનિષભાઈ ગોંડલીયાદર્દીઓને તપાસશે.

સુદર્શન આઈ હોસ્પીટલ દ્ધારા દર્દીઓને આંખના
નંબર વિના મૂલ્યે કાઢી અપાશે અને અમરેલી રેડક્રોસ સોસાયટી
દ્ધારા, બ્લડ ગ્રુપીંગ પણ વિના મૂલ્યે કરી દેવાશે.

અમરેલી જિલ્લાના તમામ પોલીસો અને તેમના પરિવારજનો આ કેમ્પનો લાભ લઈ શકશે.

Related Posts