ભાવનગર

પરવડી બ્રાન્ચ શાળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ” હર ઘર તિરંગા ” યાત્રા નું ભવ્ય આયોજન કરાયું

ગારિયાધાર તાલુકાની શ્રી પરવડી બ્રાન્ચ શાળા ખાતે આજરોજ “હર ઘર તિરંગા” યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.શાળાને રંગબેરંગી ફુગ્ગાઓથી સુશોભિત કરવામાં આવી હતી. શાળાની બાળાઓએ વિવિધ વેશભૂષા સાથે તથા શાળાના તમામ બાળકો તથા શિક્ષકો તથા એસ.એમ.સી.ના સભ્યો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો આ તિરંગા યાત્રામાં જોડાયાં હતાં.

ઢોલ – નગારાના તાલ અને દેશભક્તિના નારાઓની રમઝટ સાથે યાત્રા ગામમાં ફેરીને દેશભક્તિનો નાદ જગાવ્યો હતો.તિરંગા યાત્રાને શેરીએ શેરીએ ગ્રામજનો દ્વારા ફૂલોથી વધાવવામાં આવી હતી.

હર ઘર તિરંગા” યાત્રાને સફળ બનાવવાં માટે શાળાના આચાર્યશ્રી ડાયસિહ મકવાણા તથા રાકેશભાઈ પટેલ , અરવિંદભાઈ સિંગલ, મનોજભાઈ લિયા, કલ્પેશભાઈ ચુડાસમા તથા સ્વીટીબેન માલવિયા અને જ્યોતિબેન રાણવાએ જહેમત ઉઠાવી હતી.”હર ઘર તિરંગા” યાત્રા ના સફળ આયોજન બદલ શ્રી પરેશકુમાર જી. હિરાણીને શાળા પરિવાર તથા ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતાં. જેનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.

Related Posts