અમરેલી ચિતલ માં સ્વ.કાશીબેન ની સ્મૃતિ માં ૮૫ મો નેત્ર યજ્ઞ વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા આયોજિત ૮૫ મો નેત્રયજ્ઞ સ્વ. કાશીબેનબેન માંગરોળીયા ની સ્મૃતિમાં રવજીભાઈ માં ગરોળી ના સહયોગથી જનકભાઈ દવે ના પ્રમુખસ્થાને યોજાય ગયો જેનું ઉધઘટન વંચિતો ને વિદ્યા અભિયાન ના પ્રણેતા વીરભદ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવેલ આ તકે અગ્રણી ઉદ્યોગપતિ લાભુભાઈ ચિત્રોડા ,જિલ્લા પંચાયત ના સભ્ય સુરેશભાઈ પાથર, ઉપ સરપંચ રઘુવીરસિહ સરવૈયા પંકજભાઈ મહેતા,,દુદભાઈ ચોવટીયા,ખાસ ઉપસ્થિત રહેલ કેમ્પ માં ૯૦ જેટલા દર્દીઓ એ લાભ લીધેલ જેમાં ૩૬ દર્દીઓ ને મોતિયા ના ઓપરેશન માટે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમ નું સંચાલન સંસ્થા ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા એન સ્વાગત પ્રવચન બિપીનભાઈ દવે અને કાર્યક્રમ ને સફળ બનાવવા માં દિનેશભાઈ મેસિયા,રાજુભાઈ ધાનાણી, વિઠ્ઠલભાઈ કથીરીયા, છગનભાઈ પટેલ,વી. ડી. લીંબાસિયા, ખોડભાઈ ધધુકિયા, વલભભાઈ પાથર, જીતુભાઈ વાઘેલા વગેરે જહેમત ઉઠાવેલ
ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ આયોજિત સ્વ.કાશીબેન ની સ્મૃતિ માં ૮૫ મો નેત્રયજ્ઞ

Recent Comments