મહુવા તાલુકાના ઉગલવાણ ગામે રાત્રીના સંજય રાઠોડ ઉ.વ.૩૦ ને તેના મામા સહિત અન્ય વ્યક્તિઓએ ગંભીર હુમલો કરી મોત નીપજાવેલ છે. બનાવની પ્રાથમિક વિગત એવા પ્રકારની જાણવા મળેલ છે કે સંજયના મામા સાથે જુની અદાવતના કારણે તેના મામા અને અન્ય વ્યક્તિઓએ તેમની ઉપર રાત્રીના તિક્ષ્ણ હથિયારો થી જીવલેણ હુમલો કરતા સંજયભાઇ વલ્લભભાઇ રાઠોડને હાથે, પગે અને માથાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં મહુવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડેલ. જયાથી તેને વધુ સારવાર્થે ભાવનગર ખસેડતા રસ્તામાં સંજયનુ મૃત્યુ થતા તેણે ફરી પોસ્ટમોર્ટમ માટે મહુવા સરકારી હોસ્પિટલમાં ખસેડેલ.
જ્યા ફરજપરના તબીબી ડોક્ટરોએ પી.એમ. કરી લાશને તેમના સબંધીઓને સુપ્રત કરેલ. આ બનાવ અંગે ખુંટવડા પોલીસ સ્ટેશનમાં ૩૦૨ ની કલમ નીચે ગુન્હો નોંધાતા ખુંટવડા પોલીસ અધિકારીઓએ ૩ વ્યક્તિઓની અટક કરેલ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવમાં સગા મામાએ ભાણીયાના મિત્રને મહિલા સાથે આડા સંબંધ હોય અને તે મિત્રને મદદગારી કરતો હોય તેની દાઝે હત્યા કરી હતી.
Recent Comments