રાષ્ટ્રીય

નવરાત્રીના ગરબામાં પોતાના રિસ્ક પર જાય ગેર-હિન્દુ, ભારતીય સંત સમિતિની ચેતવણી

આ વર્ષે 26 સપ્ટેમ્બરથી નવરાત્રીની શરૂઆત થઇ રહી છે. નવરાત્રીના તહેવાર પહેલાથી જ ગરબામાં ગેર-હિન્દુ લોકોના પ્રવેશને લઈને અખિલ ભારતીય સંઘ સમિતિએ ચેતવણી આપી છે. મુસ્લિમ શબ્દના ઉલ્લેખ વગર અખિલ ભારતીય સંત સમિતિએ ચેતવણીમાં કહ્યું છે કે, ગરબા આયોજનોમાં ગેર હિન્દુ યુવક પોતાના રિસ્ક પર જ પ્રવેશ કરે, નહીં તો કોઈ દુર્ઘટના થશે તો, તેના માટે હિન્દુ જવાબદાર રહેશે નહીં. આ વર્ષે 26 સપ્ટેમ્બરથી શરૂ થતા દેવી દુર્ગાના નવ દિવસીય ઉત્સવ દરમિયાન પારંપરિક ગરબા નૃત્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે.

આ નિવેદન અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી સ્વામી જિતેન્દ્ર નંદે આપ્યું છે. સ્વામી જિતેન્દ્ર નંદે એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે, નવરાત્ર દરમિયાન ભારતના અનેક રાજ્યોમાં ગરબાનું આયોજન થતું રહે છે. ગત કેટલાક વર્ષોમાં આ જોવા મળ્યું છે કે, ગેર-હિન્દુ લોકો પોતાની ઓળખ છૂપાવીને લવ જેહાદની દ્રષ્ટિથી ગરબા નૃત્યમાં પ્રવેશ કરે છે. આ પરિસ્થિતિમાં આપણા બધાની જવાબદારી છે કે, આવા લોકોને અટકાવીએ.

આટલું જ નહીં, દેશના તમામ ગરબા સંચાલક સમિતિઓ પાસે અખિલ ભારતીય સંત સમિતિએ આગ્રહ કર્યો કે, ગરબા નૃત્યનું આયોજન કરતા આયોજક આઈડી ચેક કરીને જ આયોજનમાં કોઈને પણ પ્રવેશ કરવાની પરમિશન આપે. જેથી હિન્દુ વહુ-દીકરીઓની સાથે ગરબા નૃત્ય કરનાર કોણ છે? તે જાણી શકાય. આની સાથે જ સ્વામી જિતેન્દ્ર નંદે ચેતવણી જાહેર કરી છે કે, ‘ગેર-હિન્દુ ધર્મના લોકો પોતાના રિસ્ક પર જ ગરબા મંડપમાં પ્રવેશ કરે. જો કોઈ ઘટના થશે, તો હિન્દુ સમાજ તેના માટે જવાબદાર રહેશે નહીં.’

MPમાં પણ ગરબામાં આધાર કાર્ડ જોઈને પ્રવેશની પરમિશન

ગેર-હિન્દુના પ્રવેશને રોકવા માટે મધ્ય પ્રદેશમાં પણ પગલાઓ ભરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનના એક હિન્દુ ધાર્મિક નેતાએ જાહેરાત કરી છે કે, ‘લવ જેહાદ’ના પ્રયત્નોને નિષ્ફળ બનાવવા માટે તેમના સંગઠનના કાર્યકર્તા આ સુનિશ્ચિત કરશે કે, આગામી નવરાત્રી તહેવાર દરમિયાન પ્રદેશમાં ગરબા નૃત્ય કાર્યક્રમોમાં કોઈ પણ ગેર-હિન્દુ પ્રવેશ ન કરે.

અખંડ હિન્દુ સેનાએ શું કહ્યું?

અખંડ હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ આવાહન અખાડાના મહામંડલેશ્વર અતુલેશાનંદ સરસ્વતીએ કહ્યું કે, ‘લવ જેહાદને રોકવા માટે અમે પ્રદેશના સમસ્ત ગરબા મંડપોમાં તિલક લગાવીને અને આધાર કાર્ડ ચેક કરીને જ લોકોને પ્રવેશ આપીશું. આના માટે અમે રાજ્યના તમામ ગરબા મંડપોમાં અખંડ હિન્દુ સેનાના 10-10 કાર્યકર્તા અને હિન્દુ વાહિનીની બહેનોની પસંદગી કરીશું.’

આના પહેલા મધ્ય પ્રદેશ રાજ્યના સંસ્કૃતિ મંત્રીએ ઉષા ઠાકુરે કહ્યું હતું કે, ‘લવ જેહાદ’ને રોકવા માટે આગામી નવરાત્રી ઉત્સવ દરમિયાન પ્રદેશમાં ગરબા નૃત્ય સ્થળો પર પ્રવેશની પરમિશન ઓળખ પત્રોના તપાસ બાદ જ આપવી જોઈએ.

Related Posts