અમરેલી

અમરેલી આઈ.ટી.આઈ.પ્રવેશ મેળવવા માટેની તક

અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) ખાતે વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા શરુ છે. તે અભ્યાસક્રમમાં વહેલા તે પહેલાના ધોરણે મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આગામી તા.૩૦ ઓકટોબર, ૨૦૨૨ સુધી અમરેલી આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવવા ઇચ્છુક હોય તેવા ઉમેદવારોએ રુબરુમાં ફોર્મ ભરી જરૂરી ફી અને પ્રમાણપત્રો સાથે સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા  સુધીમાં સંપર્ક કરવો, તેમ અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts