અમરેલી

લાઠી તાલુકાના મતીરાળા જિલ્લા પંચાયત વિસ્તાર કાર્યકર્તા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને આયોજિત સ્નેહમિલન કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા,જીતુભાઇ વાળા,આંબાભાઈ કાકડીયા,મીનાબેન સોડિગલા,નરેશભાઈ અધ્યારૂ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા લાઠી  તાલુકાના મતીરાળા જિલ્લા પંચાયત બેઠકના કાર્યકર્તા સ્નેહમિલનનો કાર્યક્રમ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં લાઠી તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ તેમજ મતીરાળા જિલ્લા પંચાયત વિસ્તારના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સ્થાનીઓ લોકો ઉપસ્થિત રહ્યા હતાધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે નવા વરસની તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી પાંચ વરસ દરમિયાન લાઠી વિધાનસભા વિસ્તાર હેઠળ આવતા બાબરા દામનગર તેમજ લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ તેમજ અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.

એક ધારાસભ્ય તરીકે લોકોના દરેક કામો તેમજ વિકાસના કામો કર્યા નો આત્મસંતોષ વ્યક્ત કરી રાજ્ય અને કેન્દ્ર ની ભાજપ સરકાર આકરા પ્રહારો કર્યા હતા મોંઘવારી,બેરોજગારી અને કથળજતી કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવી આગામી દિવસોમાં ચૂંટણીઓ કોંગ્રેસને બહુમત આપવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતળીયા,જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ મીનાબેન સોડિગલા,જીતુભાઇ વાળા,કે કે વાળા,નરેશભાઈ અધ્યારૂ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા,ઘનશ્યામભાઈ કાછડીયા,વજુભાઇ વામજા,સહિતના લાઠી કોંગ્રેસના વિવિધ સેલ અગ્રણીઓ તેમજ વિશાલ જનમેદની સહ કાર્યકરતા ઉપસ્થિત રહ્યાં હતાં

Related Posts