ભાવનગર

જોશીમઠ અને ઉતરાખંડનાં અસરગ્રસ્તોને ૫ લાખની સહાય અર્પણ કરતા મોરારિબાપુ

છેલ્લા થોડા દિવસોથી અખબાર અને અન્ય માધ્યમો દ્વારા જાણવા મળી રહ્યું છે એ મુજબ જોશીમઠ શહેર અને એની આસપાસના વિસ્તારો કે જે ઉત્તરાખંડ રાજ્યનું મહત્વનાં વિસ્તાર છે ત્યાં ભૂસ્ખલન થઈ રહ્યું હોવાથી માલમિલકતને સારું એવું નુકસાન પહોંચી રહ્યું છે. વર્ષોથી ત્યાં વસવાટ કરતા લોકોનું સ્થળાંતર કરવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે. સ્થાનિક લોકો અને પ્રશાસન માટે આ પરિસ્થિતિ પડકારજનક છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં જોષીમઠ અને એની આસપાસના વિસ્તારોમાં વિસ્થાપિતોને અને અસરગ્રસ્તોને સહાયરૂપ બનવા માટે શ્રી હનુમાનજી જીની પ્રસાદી રૂપે પૂજ્ય મોરારીબાપુની પ્રેરણાથી લંડન સ્થિત રમેશભાઈ સચદેવ દ્વારા પાંચ લાખ રૂપિયા મોકલવામાં આવશે. આ કાર્યને પૂર્ણ કરવા માટે રામકથાનાં શ્રોતા દ્વારા ઉત્તરાખંડના મુખ્યમંત્રીશ્રી અને અન્ય અધિકારીઓના સંપર્કમાં રહી તેમનું માર્ગદર્શન મેળવી આ સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવશે.તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે

Related Posts