રાષ્ટ્રીય

ટ્રિબ્યુનલ કોર્ટે કર્યો ન્યાય, ૪ વર્ષ પહેલા યુવકના મોત પર પરિવારને હવે મળશે વળતર

ટ્રિબ્યુનલ કોર્ટમાં રજૂ કરાયેલા દાવામાં, સંબંધીઓએ જણાવ્યું હતું કે જ્યારે પ્રશાંતનું સ્કૂટર હાઈવે નજીકના એક જંકશન પર પહોંચ્યું હતું. ત્યારે પાછળથી ટેન્કર ખૂબ જ ઝડપે આવ્યું હતું. અને બેદરકારીપૂર્વક તેની સાથે અથડાયું હતું. જેના પછી પ્રશાંતનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક માર્ગ અકસ્માતમાં મહિલાના પુત્રનું મોત થયું હતું. હવે ટ્રિબ્યુનલ કોર્ટના આદેશ પર પરિવારને વળતર તરીકે ૩ કરોડ રૂપિયા મળશે. ટ્રિબ્યુનલ કોર્ટના આદેશ બાદ વીમા કંપનીઓ આ વળતર આપશે. આ અકસ્માતમાં દાવો અત્યાર સુધીના સૌથી વધુ ચૂકવવામાં આવેલો પૈકીનો એક હશે.

મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે એક ટેન્કર માલિક અને એક વીમા કંપનીને કાંદિવલી સ્થિત એક ખાનગી કંપનીમાં સુરક્ષા સેવા કંપનીના ઝોનલ હેડ પ્રશાંતના પરિવારને આશરે રૂ. ૩.૧૧ કરોડનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. વર્ષ ૨૦૧૯માં ટ્રિબ્યુનલ કોર્ટ સમક્ષ દાવો રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં મૃતક પ્રશાંતના પરિવારજનોએ જણાવ્યું કે અકસ્માત ૬ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ થયો હતો. પરિવારે ટેન્કરના માલિક દિના ગાવડે અને નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ સામે કોર્ટમાં દાવો કર્યો હતો. તેમના દ્વારા રજૂ કરાયેલા દાવામાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે પ્રશાંતનું સ્કૂટર હાઇવે નજીક એક જંકશન પર પહોંચ્યું. ત્યારે પાછળથી ટેન્કર ખૂબ જ ઝડપે આવ્યું હતું. અને બેદરકારીપૂર્વક તેની સાથે અથડાયું હતું.

જેના પછી પ્રશાંતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. શું છે મામલો? તે.. જાણો.. ટ્રિબ્યુનલ કોર્ટ અનુસાર, વીમા કંપનીએ પીડિત પ્રશાંત વિશ્વાસની માતા, પત્ની અને સગીર પુત્રીઓને વીમાની રકમ ચૂકવવી પડશે. વળતરની રકમની ગણતરી કરતી વખતે, ટ્રિબ્યુનલે પીડિતનો વાર્ષિક પગાર લગભગ ૧૭ લાખ રૂપિયા ગણ્યો છે. ટ્રિબ્યુનલે, ટેન્કર ચાલક સામે નોંધાયેલી એફઆઈઆર અને અન્ય પોલીસ દસ્તાવેજાે પર આધાર રાખતા, અવલોકન કર્યું, “આમ, રેકોર્ડ પરના પુરાવા પ્રસ્થાપિત કરે છે કે અકસ્માત ટેન્કર ચાલક દ્વારા બેદરકારીપૂર્વક ચલાવવાને કારણે થયો હતો, જેના પરિણામે મૃતકનું મૃત્યુ થયું હતું. જ્યારે, ટ્રિબ્યુનલની નોટિસ હોવા છતાં, ટેન્કર માલિક હાજર થયો ન હતો, તેથી તેની સામેનો કેસ એક પક્ષે ચાલ્યો હતો.

વીમા કંપનીએ અરજીનો વિરોધ કર્યો અને કહ્યું કે અરજી ખોટી છે. કારણ કે ચાલક અને સ્કૂટરના માલિકને કાર્યવાહીમાં પક્ષકાર બનાવવામાં આવ્યા ન હતા. વધુમાં, વીમા કંપનીના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે ટેન્કર ચાલક દારૂના નશામાં હતો. દરમિયાન, વીમા કંપનીએ ટ્રિબ્યુનલ કોર્ટમાં રજૂ કરેલા તેના દાવામાં જણાવ્યું હતું કે ડ્રાઇવરે મોટર વાહન અધિનિયમ હેઠળ નિર્ધારિત નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું, જેમાં ટ્રિબ્યુનલે દલીલોને નકારી કાઢી હતી. તેણે અકસ્માત બાદ ટેન્કર ચાલકની તપાસ કરનાર ડૉક્ટરના અહેવાલને ટાંક્યો હતો. ડૉક્ટરે નોંધ્યું હતું કે ડ્રાઈવરના મોઢા અને શ્વાસમાંથી દારૂની ગંધ આવી રહી હતી. પરંતુ તેની વાણી અને ચાલ સામાન્ય હતી અને તે સીધી લીટીમાં ચાલી રહ્યો હતો.

Related Posts