પ્રયાગરાજમાં માર્યા ગયેલા ગેંગસ્ટર અને પૂર્વ બાહુબલી સાંસદ અતીક અહમદ (છંૈૂ છરદ્બટ્ઠઙ્ઘ દ્ભૈઙ્મઙ્મીઙ્ઘ) અને તેના ભાઈ અશરફને કસારી મસારી કબ્રસ્તાનમાં સુપુર્દ એ ખાક કરવામાં આવ્યા. બંનેના મૃતદેહ કસારી મસારી કબ્રસ્તાનમાં આકરી સુરક્ષા વચ્ચે પહોંચ્યા અને પછી પરિવારજનોની હાજરીમાં તેને દફનાવવામાં આવ્યા. આ કબ્રસ્તાનમાં બે દિવસ પહેલાં એનકાઉન્ટરમાં માર્યા ગયેલા અતીકના પુત્ર અસદને પણ દફનાવવામાં આવ્યો હતો. કબ્રસ્તાનની આસપાસ જડબેસલાક સુરક્ષાવ્યવસ્થા જાેવા મળી હતી. આ પહેલાં અતીક અને અશરફનું પોસ્ટમોર્ટ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટમોર્ટમ પાંચ ડોક્ટરોની પેનલે કર્યું હતું. અતીક અને અશરફની સુરક્ષામાં તૈનાત ૧૭ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
યુપી પોલીસ એલર્ટ મોડ પર છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. પોલીસકર્મીઓની રજાઓ પણ રદ્દ કરવામાં આવી છે. તેની હત્યાના ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચ તેમની પૂછપરછ કરી રહી છે. પ્રયાગરાજના શાહગંજ પોલીસ સ્ટેશનમાં બંનેની હત્યા માટે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. જણાવી દઈએ કે શનિવારે રાત્રે અતીક અને અશરફની જ્યારે મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યાં હતા ત્યારે બંનેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. અતીકે જ્યારે મીડિયા સાથે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે ત્રણ હુમલાખોરોએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેમાં બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી હતી. મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી. મુખ્યમંત્રીએ આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈને રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષ ભાજપ સરકાર પર આક્રમક છે. અખિલેશ યાદવે યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે.
Recent Comments