જાણિતા લેખક તારેક ફતેહનું નિધન થયું, પુત્રીએ કહ્યું “હિંદુસ્તાનનો પુત્ર”
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/04/File-01-Page-15-15-1140x620.jpg)
જાણિતા લેખક તારેક ફતેહનું નિધન થયું છે. વર્ષ ૧૯૪૯માં પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા તારેક ફતેહે ૭૩ વર્ષની વયે કેનેડામાં અંતિમ શ્વાસ લીધા હતા. આ માહિતી તેમની પુત્રી નતાશા ફતેહે ટ્વીટ કરીને આપી હતી અને કહ્યું હતું કે તેમની ક્રાંતિ તે તમામ લોકો સાથે ચાલુ રહેશે જેઓ તેમને જાણતા અને પ્રેમ કરતા હતા. નતાશા ફતેહે (દ્ગટ્ઠંટ્ઠજરટ્ઠ હ્લટ્ઠંીર) ટ્વીટ કરીને કહ્યું, ‘પંજાબનો સિંહ. હિન્દુસ્તાનનો પુત્ર. કેનેડિયન પ્રેમી. સત્ય વક્તા ન્યાય માટે લડનાર. દલિત અને પીડિતોનો અવાજ. તારેક ફતેહનું નિધન થયું છે. તેમની ક્રાંતિ તે બધા સાથે જીવશે જેઓ તેને જાણતા અને પ્રેમ કરતા હતા. તમે અમારી સાથે જાેડાશો? ૧૯૪૯-૨૦૨૩. તારેક ફતેહ (્ટ્ઠિીા હ્લટ્ઠંીર) નો જન્મ ભલે કરાચીમાં થયો હોય, પરંતુ તેઓ પોતાને હિન્દુસ્તાની કહેતા હતા. એટલું જ નહીં, તે બંને દેશના ભાગલાને ખોટો ગણાવતા હતા અને પાકિસ્તાનને ભારતીય સંસ્કૃતિનો ભાગ માનતા હતા. તારેક ફતેહ તેમના જીવનમાં હંમેશા ધાર્મિક કટ્ટરતાની વિરુદ્ધ હતા અને ભારતીય સંસ્કૃતિને એકતાનો સ્ત્રોત માનતા હતા. પાકિસ્તાનમાં જન્મેલા તારેક ફતેહ (્ટ્ઠિીા હ્લટ્ઠંીર) વર્ષ ૧૯૮૭માં કેનેડા શિફ્ટ થયા હતા. રિપોર્ટર તરીકે કારકિર્દી શરૂ કરનાર તારેક ફતેહ લેખક, રેડિયો અને ટીવી કોમેન્ટેટર પણ હતા. તારેક ફતેહ ઘણી ભાષાઓના જાણકાર હતા અને ઉર્દૂ ઉપરાંત હિન્દી, અંગ્રેજી, પંજાબી અને અરબી ભાષાઓ પર પણ તેમની સારી પકડ હતી.
Recent Comments